જામનગરમાં 8, ભાવનગરમાં 7, સલાયામાં 2 તેમજ અમરેલીમાં 1, સુરતમાં 8 કેસ પોઝિટિવ
રાજકોટ,
તા.6: રાજ્યમાં કોરોનાના કેસોમાં દિન પ્રતિદિન ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે છેલ્લા
24 કલાકમાં નવા 170 કેસો સાથે કુલ આંકડો 785 થવા આવ્યો છે. રાજકોટમાં પણ કોરોનાનું
સંક્રમણ યથાવત રહેવા પામ્યું છે. જેમાં આજે નવા 9 કેસ સાથે કુલ 77 કેસ થયા છે. જામનગરમાં
8, ભાવનગરમાં 7 સલાયામાં 2 તેમજ અમરેલીમાં પણ 1 કેસ પોઝિટિવ આવ્યો છે.
રાજકોટ
શહેરની વાત કરીએ તો આજે કુલ 9 કેસ સામે આવ્યા છે. જેમાં 10 વર્ષનું એક બાળક પણ કોરોના
સંક્રમિત થયું છે. ગાંધીગ્રામ વિસ્તારમાં 74 વર્ષીય વૃદ્ધા, લક્ષ્મીનગરમાં 62 વર્ષીય
વૃદ્ધા, અવંતિકા પાર્કમાં 63 વર્ષીય વૃદ્ધા તેમજ પુરુષોમાં નાનામવામાં 42 વર્ષીય, પ્રગતિ
સોસાયટીમાં 54 વર્ષીય, અયોધ્યા સોસાયટીમાં 23 વર્ષીય, જામનગર રોડ પર 75 વર્ષીય, સરસ્વતી
સોસાયટીમાં 48 વર્ષીય પુરૂષનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. કે.જે.સોસાયટીમાં 10 વર્ષના
બાળકને કોરોનાના લક્ષણ દેખાતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ સાથે જ શહેરમાં કોરોનાના
કુલ 77 કેસ થયા છે. જેમાંથી 32 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક્ટિવ કેસનો આંકડો 45 છે. ઉપરોક્ત
દર્દીઓમાં માત્ર 3 દર્દીઓને ટ્રાવેલ હીસ્ટ્રી અમદાવાદ, સુરત અને દિલ્હીની છે.
જામનગર:
જામનગરમાં ડેન્ટલ હોસ્ટેલમાં બે પુરૂષ અને એક મહિલા તેમજ ક્રિકેટ બંગલો વિસ્તારમાં
એક મહિલા અને ઓસવાલ કોલોનીમાં એક પુરૂષ, વાલ્કેશ્વરી નગરીમાં એક પુરૂષ અને પ્રતાપનગરમાં
એક મહિલા તથા પી.જી.હોસ્ટેલ જી.જી.એચમાં એક પુરૂષ સહીત 8 લોકોનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો
છે. આ સાથે જ કુલ 54 કેસ થયા છે. જ્યારે 5 દર્દીને ડીસ્ચાર્જ કરાયા છે. 38 દર્દી હોમ
આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.
ભાવનગર:
ભાવનગરમાં કોરોનાનું સંક્રમણ વધતું જાય છે. જેમાં આજે 7 કેસ પોઝિટિવ આવ્યા છે. સરદારનગર
વિસ્તારમાં 56 વર્ષીય પુરૂષ અને 64 વર્ષીય વૃદ્ધા, વિજયરાજનગરમાં 85 વર્ષીય વૃદ્ધ,
ડોક્ટર ક્વાર્ટસમાં 20 વર્ષીય યુવતી, કાળીયાબીડમાં 12 વર્ષનો બાળક તથા 22 વર્ષીય યુવક
અને નારી ગામે 33 વર્ષીય પુરૂષનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. એક દર્દી કોરોના મુક્ત
થયો છે. હાલ 19 દર્દી હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.
અમરેલી:
અમરેલી જિલ્લામાં કોરોનાનો બીજો કેસ મળી આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. સાવરકુંડલા
ગામે આવેલા ખાદી કાર્યાલય નજીક રહેતા 29 વર્ષીય યુવાનમાં કોરોનાના લક્ષણ જોવા મળતા
મેડીકલ અને લેબોરેટરી પરીક્ષણ બાદ તેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યાનું આરોગ્ય વિભાગે જણાવ્યું
છે.
સલાયા
: દ્વારકા જિલ્લામાં કોરોના ફરી એન્ટ્રી કરી છે. જેમાં ખંભાળિયા તાલુકાના ગામે શરદી
અને કફ હોવાના લીધે આવેલ બે દર્દીઓને કોરોનાના લક્ષણો દેખાતા એમના રિપોર્ટ મોકલવામાં
આવ્યાં હતાં જેમાં બન્ને કેસ પોઝીટીવ આવતા તંત્ર દોડતું થયું છે. દર્દીઓમાં એક 25 વર્ષનો યુવક અને એક 18 વર્ષની યુવતી હોવાનું
જાણવા મળ્યું છે. હાલ બન્નેનું સ્વાસ્થ્ય સારું છે.
અમદાવાદ:
અમદાવાદમાં આજે 88 કેસો નોંધાવા પામ્યા છે. જો કે, તેની સામે 34 કોરોના દર્દીઓને ડિસ્ચાર્જ
કરવામાં આવ્યા છે. આજના નવા 88 કેસ સાથે અમદાવાદમાં કુલ કેસનો આંકડો 559 પહોંચ્યો છે.
જેમાં 183 દર્દી ડિસ્ચાર્જ થતા કુલ 374 એક્ટિવ કેસ છે.
અન્ય
શહેરોમાં કચ્છમાં કોરોનાના 2 કેસ સાથે કુલ 15 એક્ટિવ કેસ, દેવભૂમિ દ્વારકામાં 2, સુરેન્દ્રનગરમાં
3, ભાવનગરમાં 9 અને મોરબીમાં હાલ 4 એક્ટિવ કેસ છે.
સુરત
: સુરતમાં આજે વધુ 8 દર્દીના પોઝીટીવ કેસ નોંધાયા હતા.