સંક્રમિતોનો આંકડો નવી લહેરમાં પહેલીવાર 5000ને પાર : કુલ મૃત્યુઆંક વધીને 55
નવી
દિલ્હી, તા. 6: દુનિયામાં શરૂ થયેલી કોરોનાની નવી લહેરે ભારતમાં પણ ચિંતા વધારી દીધી
છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનાં કોવિડ ડેશબોર્ડ ઉપર જાહેર કરવામાં આવેલા આંકડા
અનુસાર ગુરુવારે કોવિડ સંક્રમિતોનો આંકડો 4866 હતો અને શુક્રવારે તે વધીને 5364 થઈ
ગયો છે. જેમાં સૌથી વધુ કેરળમાં 1679, ગુજરાતમાં 615, પશ્ચિમ બંગાળમાં 596 અને દિલ્હીમાં
592 સક્રિય કેસનો સમાવેશ થાય છે. છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોરોનાએ 4નો ભોગ પણ લીધો
છે. આમ, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાનો મૃત્યુઆંક વધીને 55 થઈ ગયો છે.
આ વખતની
લહેરમાં પહેલીવાર દેશમાં કોરોના સંક્રમણનો આંકડો 5 હજારને પાર થયો છે. 22મી મેનાં રોજ
આ આંકડો ફક્ત 275 હતો. એટલ કે, છેલ્લા 15 દિવસનાં ગાળામાં જ કોરોનાનાં કેસમાં 20 ગણો
વધારો થયો છે.
કોવિડનાં
કેસમાં થઈ રહેલા આ ખતરનાક વધારાનાં પગલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને
કોવિડનાં નિદાન અને સારવાર માટે તૈયારીની મોકડ્રિલ શરૂ કરવાં કહ્યું છે. તમામ રાજ્યોને
ઓક્સિજન, આઈસોલેશન બેડ, વેંટીલેટર અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે
નિર્દેશો છોડી દેવામાં આવ્યા છે.