જામનગર, તા.6: જામનગરમાં ગુરૂદ્વારા માર્ગે સેન્ટર પોઇન્ટમાં આવેલી જય દ્વારકાધીશ ટ્રાવેલ્સના સંચાલક મયુરભાઇ જેઠાભાઇ પોસ્તરીયાએ પોતાના ટ્રાવેલ્સની ઓફિસની બહાર રાખેલ રૂ.1,18,500ની કિંમતના 14 નંગ મોબાઇલ ફોન અને લેપટોપ ભરેલા પાર્સલની કોઇ શખસો ચોરી કરી લઇ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે
મયુરભાઇની ફરિયાદના આધારે ગુનો નોંધી સીસીટીવી કેમેરા વગેરેની મદદ લઇને તપાસ શરૂ કરી
હતી અને ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. જામનગેરના સીસી બી, ડિવિઝન પી.આઇ.પી.પી.
ઝા અને પીએસઆઇ એમ. મોઢવાડીયા અને તેઓની ટીમે પાર્સલની ચોરી કરનાર જામનગરમાં નવાગામ
ઘેડ વિસ્તારમાં રહેતસ સન્ની જગદીશભાઇ સરવૈયા તેમજ ગોપાલ ચોકમાં રહેતા વિક્રમ ઉર્ફે
રોટી સુરેશભાઇ પરમારની અટકાયત કરી લીધી છે. પોલીસે તેઓ પાસેથી રૂપિયા 1,18,500ની કિંમતના
ચોરાઉ મોબાઇલ ફોન અને લેપટોપ વગેરે કબજે કરી લીધા છે.