પોરબંદર તા.5: પોરબંદરના ભાવપરા ગામે આવળ માતાજીના મંદિરમા દાનપેટીમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે કોડીનાર પંથકના એક ઇસમને પકડી લીધો છે અને તેના અન્ય ત્રણ સાગરીતોના નામ ખૂલતા તેમની શોધખોળ પણ હાથ ધરી છે. મહત્વની બાબત એ છે કે આ તસ્કરો સામે અત્યાર સુધીમાં 20 જેટલા ગુના નોંધાઇ ચૂકયાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.
મળતી
માહિતી પ્રમાણે ગત તા. 26ના રોજ ભાવપરા ગામે આવેલા આવળ માતાજીના મંદિરમા ં રાત્રિના સમયે અજાણ્યા ચોર ઇસમો દ્વારા મંદિરમાં રાખેલી દાનપેટીમાંથી
રોકડા રૂપિયાની ચોરી કરવામાં આવી હતી. જે ચોરીના
બનાવ બાબતે બગવદર પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુને રજીસ્ટર થયો હોય આસપાસના 25 જેટલા સી.સી.ટી.વી.
ફૂટેજ ચેક કરી ફૂટેજના આધારે આરોપીની ભાળ મેળવી તપાસ કરી રહયા હતા. તે દરમ્યાન રણજીતાસિંહ
દયાતર તથા મુકેશભાઇ માવદીયાને ખાનગી રાહે મળેલી હકીકતના આધારે , આ ચોરીનો આરોપી અજય
જીજાભાઇ બચુભાઇ સોલંકી ઉ.વ. 26 રહે. કોડીનાર બાયપાસ 512 કવાર્ટર પાસે ઝૂંપડપટ્ટી વિસ્તાર
તા. કોડીનાર, જી. ગીરસોમનાથવાળો હાલમાં હાર્બર મરીન પોલીસની હદમાં છે અને પસાર થવાનો
છે. તેથી પોલીસે તાત્કાલિક ત્યાં જઇને મંદિરની દાનપેટીમાંથી ચોરી કરેલી રો 13,110 તથા
ચોરી કરવામાં ઉપયોગ કરેલા મોટરસાઇકલ સહિત પકડી પાડયો હતો.