ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શહેર અને જિલ્લાના રૂ.557 કરોડથી વધુના 41 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
વડાપ્રધાને
ખેતી અને ઉદ્યોગો માટે સમતોલ વિકાસનો અભિગમ અપનાવ્યો પરિણામે દેશના 98 ટકાથી વધુ ગામોમાં
દિવસે વીજળી મળે છે
રૂ.6
કરોડના ખર્ચે રેસકોર્સમાં નિર્મિત આર્ટગેલેરીને ખુલ્લી મુકતાં મુખ્યમંત્રી
રાજકોટ,
તા.6 : રાજકોટમાં વીજળી, પાણી તેમજ રોડની ઉત્તમ સુવિધાઓને લીધે ઉદ્યોગ-ધંધાઓનો વિકાસ
તેજ ગતિએ થઈ રહ્યો છે. આજે કુલ 557 કરોડના વિકાસકામોમાં 112 કરોડના ‘નોન ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ના
કામો જિલ્લાના ઉદ્યોગોને બળ આપશે તેમજ નાગરિકોની સુખાકારીમાં વધારો કરશે તેવું આજરોજ
શહેરની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું.
શહેરના
પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે આજરોજ રાજકોટ શહેર અને જિલ્લાના રૂ.557 કરોડથી વધુના
41 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના
હસ્તે કરાયું હતું. ઓડિટોરિયમમાં ઉપસ્થિત નાગરિકોને મંચ પરથી સંબોધતા મુખ્યમંત્રીએ
જણાવ્યું હતું કે, શહેરી વિકાસ વર્ષ અંતર્ગત રાજકોટ શહેર અને જિલ્લામાં ખૂબ સારા કામો
થઈ રહ્યાં છે. વિકાસની રાજનીતિના પ્રણેતા એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘નાગરિક
દેવો’ના મંત્ર સાથે ગત 11 વર્ષમાં નાનામાં નાના માણસને લાભ પહોચાડીને સુશાસનનું મોડલ
પ્રસ્થાપિત કર્યુ છે.
મુખ્યમંત્રીએ
ઉમેર્યુ હતું કે, આજે રાજકોટને મળી રહેલા વિકાસકાર્યોમાં રૂ.238 કરોડના કામો માત્ર
ઊર્જાક્ષેત્ર સાથે જોડાયેલા છે. વડાપ્રધાન મોદીએ જ્યારે સેવાદાયિત્વ સંભાળ્યું ત્યારે
સૌથી મોટો પ્રશ્ન વીજળીનો હતો. વડાપ્રધાને ખેતી અને ઉદ્યોગો માટે સમતોલ વિકાસનો અભિગમ
અપનાવ્યો જેના પરિણામે દેશના 98 ટકાથી વધુ ગામોમાં દિવસે વીજળી મળી રહી છે. પ્રધાનમંત્રી
સુર્યઘર યોજના થકી આજે આપણે વીજળીમાં આત્મનિર્ભર બન્યાં છીએ. દેશના 3.40 લાખ ઘરોમાં
આ યોજના અંતર્ગત સોલાર રૂફ ટોફ લગાડવામાં આવ્યાં
છે. જેમાં 58 ટકા વીજળી ઘરવપરાશમાં તેમજ 42 ટકા વીજળી સરકારને વેંચીને લોકોને રૂપિયા
મળતાં થયાં છે. ખેડૂતોને પણ સોલાર યોજનાનો લાભ મળી રહ્યો છે.
વધુમાં
તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટ ગુજરાતનું એફએમસીજી, એન્જિનિયરિંગ તેમજ સોના-ચાંદી જ્વેલેરી
મેકિંગ સહિતના ક્ષેત્રમાં હબ તરીકે વિકસી રહ્યું છે. રાજકોટમાં વર્લ્ડ માર્કેટ મળી
રહે તેવી સુવિધાઓ મળી રહી છે. વડાપ્રધાનના પ્રયાસોથી હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ, સિક્સલેન
નેશનલ હાઈવે જેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહ્યું છે. સૂરતની પેટન્ટ મુજબ રાજકોટ ગ્રોથ
હબ તરીકે વિકાસ પામશે અને ખાસ રિજ્યોનલ ઈકોનોમિક પ્લાન બનાવવામાં આવશે. મુખ્યમંત્રીના હસ્તે આજરોજ શહેરના રેસકોર્સ સંકુલમાં
રૂ.6 કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન આર્ટગેલેરીને પણ શહેરીજનો માટે ખુલ્લી મુકવામાં આવી
હતી.
કાર્યક્રમ
કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજકોટના સાંસદ પુરુષોતમ રૂપાલા, રાજયસભાના સાંસદ
રામભાઈ મોકરિયા, કેસરીદેવસિંહ ઝાલા, પૂર્વ સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્યો રમેશ ટીલાળા,
ડો.દર્શિતા શાહ, ડો.મહેન્દ્ર પાડલિયા, દુર્લભજી દેથરિયા, જીતુભાઈ સોમાણી, પ્રદેશ ભાજપ
ઉપાધ્યક્ષ ભરત બોઘરા, રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ
પ્રવિણાબેન રંગાણી, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ
ચેરમેન જયમીન ઠાકર વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.