રવી પાકની ચિંતા : સિંધૂ જળ સંધિ મુદ્દે પુન:વિચાર કરવા અપીલ
નવી
દિલ્હી, તા.6 : ભારતે સિંધૂ જળ સંધિ સ્થગિત કર્યા બાદ પાકિસ્તાનની હાલત કેટલી હદે બગડી
છે તેનો અંદાજ એ બાબતથી આવે છે કે અત્યાર સુધીમાં 4 વાર પત્ર લખીને ભારતને સંધિ ફરી
કાર્યરત કરવા કરગરી ચૂકયું છે.
ભારતે
સિંધુ જળ સંધિ રોકતાં પાકિસ્તાનમાં તેની ગંભીર અસર દેખાવા લાગી છે. પાકિસ્તાન સરકાર
ભારતને આ મુદે ભારતને 4 વાર પત્ર લખી ચૂકી છે. આ પત્રોના માધ્યમથી પાકિસ્તાને ભારત
સમક્ષ પુન:વિચાર કરવા પોકાર કર્યો છે. પાકિસ્તાન ઢીલું પડયું છે અને ભારતને સમજૂતી
અંગે વાતચીત કરવાની પણ તૈયારી દર્શાવી છે. પાકિસ્તાન તરફથી તેના જળ સંસાધન મંત્રાલયે
ભારતના જળ શક્તિ મંત્રાલયને પત્ર લખ્યા છે. પાકિસ્તાનને ડર છે કે ભારતના નિર્ણયથી તેના
રવી પાકને ગંભીર ખતરો ઉભો થઈ શકે છે. પાકિસ્તાને કરેલો પત્ર વ્યવહાર હવે ભારતના વિદેશ
મંત્રાલય સુધી પહોંચ્યો છે અને જાણકારો અનુસાર પાકિસ્તાનની આવી ખોખલી કાકલૂદીને ભારત
કોઈ મચક આપે તેમ નથી.
ભારતના
વડાપ્રધાન મોદી અગાઉ એલાન કરી ચૂકયા છે કે લોહી અને પાણી એક સાથે વહી ન શકે. ભારત સરકાર
પાકિસ્તાન જતી નદીઓના પાણીનો મહતમ ઉપયોગ કરવા 1ર કિમી ટનલપ 1ર0-130 કિમીની નહેર બનાવવાની
યોજના પર કામ કરી રહ્યું છે. વિવિધ પરિયોજનાઓ મારફત આ નદીઓનું પાણી હરિયાણા, પંજાબ,
રાજસ્થાન અને દિલ્હી તરફ વાળવામાં આવી શકે છે. પાકિસ્તાન જયાં સુધી આતંકવાદ પર ઠોસ
કાર્યવાહી ન કરે ત્યાં સુધી ભારત સિંધૂ જળ સંધિ મુદ્દે નરમ વલણ નહીં દાખવે.