મુંબઈ, તા.6 : મહારાષ્ટ્રની રાજનીતિમાં સૌથી ચર્ચાસ્પદ સવાલ એ છે કે બે પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે શું હાથ મિલાવશે ? શુક્રવારે માતોશ્રી ખાતે પહેલીવાર જયારે ઉદ્ધવને આ અંગે સીધો સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે હાસ્ય સાથે જવાબ આપ્યો કે જેના પર ઓન કેમેરા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રના મનમાં જે હશે તે થશે. શિવસેના કે મનસે સૈનિકોના મનમાં કોઈ ભ્રમ નથી તમને સીધી ખબર આપીશું.
મહારાષ્ટ્રમાં હાલ એવી અટકળો છે કે બીએમસીની ચૂંટણી
પહેલા મોટા રાજકીય અપસેટમાં ઉદ્ધવ અને રાજ ઠાકરે હાથ મિલાવી ઝંપલાવશે. શિવસેના યૂબીટી
અને મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના જો ગઠબંધન કરશે તો નવા સમીકરણો રચાશે. માતોશ્રીમાં
શુક્રવારે પત્રકાર પરિષદ યોજાઈ તો તોમાં આ સવાલ પણ ઉઠયો હતો.