ચેતેશ્વરના પત્ની પૂજા પાબારીના પુસ્તક ધ ડાયરી ઓફ એ ક્રિકેટર્સ વાઈફનું વિમોચન
મુંબઈ,
તા.6: ચેતેશ્વર ને આઉટ કેમ કરવો ? આ સવાલ રોહિત શર્મા અને મુંબઇના તેના સાથી જૂનિયર
ક્રિકેટરો વારંવાર કરતા હતા કારણ કે તેમને ખબર હતી કે સૌરાષ્ટ્રનો આ બેટધર સતત બે-ત્રણ
દિવસ બેટિંગ કરી શકે છે. રોહિત શર્માએ આ વાત ચેતેશ્વર ની જીવનગાથા પરના પુસ્કત ‘ધ ડાયરી
ઓફ એ ક્રિકેટર્સ વાઇફ’ના વિમોચન વખતે કરી હતી. ચેતેશ્વર પુજારાની જીવનકથાને તેની પત્ની
પૂજા પાબારીએ શબ્દદેહ આપ્યો છે. પૂજાએ આ પુસ્તક અંગ્રેજી ભાષામાં લખ્યું છે. જેની ચોમેર
પ્રશંસા થઇ રહી છે.
આ તકે
રોહિત શર્મા તેની પત્ની રીતિકા સાથે ઉપસ્થિત રહ્યો હતે. ભારતીય ટીમના પૂર્વ કપ્તાન
અનિલ કુંબલે પણ હાજર રહ્યા હતા. પુસ્તકના વિમોચન વખતે ચેતેશ્વર, રોહિત અને કુંબલેએ
જૂના સંસ્મરણો તાજા કર્યાં હતા.