• શનિવાર, 07 જૂન, 2025

ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીનું એન્ડરસન-તેંડુલકર ટ્રોફી નામકરણ

નવી દિલ્હી, તા.6: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીનું હવે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી નામકરણ થયું છે. બીસીસીઆઇ અને ઇસીબીએ આ નિર્ણય લીધો છે. અગાઉ બે ટીમ વચ્ચે જ્યારે ઇંગ્લેન્ડમાં આ સિરીઝ રમાતી ત્યારે તે પટૌડી ટ્રોફી તરીકે અને ભારતમાં રમાતી ત્યારે એન્થોની ડિ મેલો ટ્રોફી નામથી ઓળખાતી. હવે બન્ને દેશમાં જ્યારે પણ ટેસ્ટ સિરીઝ રમાશે ત્યારે તે એન્ડરનસ-તેંડુલકર ટ્રોફી તરીકે ઓળખાશે.

સચિન તેંડુલકર અને જેમ્સ એન્ડરસન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલ મેચ દરમિયાન આ ટ્રોફીનું અનાવરણ કરશે. આફ્રિકા-ઓસ્ટ્રેલિયા વચ્ચેનો આ ટેસ્ટ 11 જૂનથી શરૂ થઇ રહ્યો છે જ્યારે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી 20 જૂનથી શરૂ થશે.

સચિન તેંડુલકરે તેની કેરિયરમાં 200 અને જેમ્સ એન્ડરસને 188 ટેસ્ટ મેચ રમ્યા હતા. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી નામે ઓળખાઇ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જામનગરમાં ટ્રાવેલ્સની ઓફિસેથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો June 07, Sat, 2025