કોરોનાનો કહેર : રાજયોને જરૂરી તૈયારી કરી લેવા સ્વાસ્થ્ય મંત્રાલયનો નિર્દેશ : કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા અપીલ
નવી
દિલ્હી તા.પ : ભારતમાં કોરોનાની સ્થિતિ કેટલી ગંભીર બની રહી છે તેનો અંદાજ એ બાબતથી
લગાવી શકાય કે કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરી રાજયોને જરૂરી દવાઅને ઓકિસજનનો જથ્થો
સુનિશ્ચિત કરવા તાકીદ કરી છે.
દેશમાં
કોરોનાના સતત વધી રહેલા કેસને ધ્યાને લઈ સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજયો માટે એડવાઈઝરી
જાહેર કરી તેમને ઓકિસજન, આઈસોલેશન બેડ્સ, વેન્ટિલેટર, જરૂરી દવાઓની પૂરતી વ્યવસ્થા
કરી રાખવા તથા સર્વેલન્સ સિસ્ટમ પર વધુ ભાર મૂકવા જણાવ્યું છે. શ્વાસ લેવામાં ગંભીર
સમસ્યા હોય તેવા દરેક કેસમાં સેમ્પલની જીનોમ તપાસનો નિર્દેશ અપાયો છે. જેથી કોવિડ
19નો કયો વેરિયેન્ટ ફેલાઈ રહ્યો છે તે જાણી શકાય. દેશમાં છેલ્લા ર4 કલાકમાં કોરોનાના
નવા 864 કેસ નોંધાયા છે અને કુલ કેસ 4800થી વધુ છે. દિલ્હીમાં હાલ 4પ7 એકિટવ કેસ છે.
કોરોનાથી મૃત્યુઆંક દેશમાં પ1 થયો છે.
કેન્દ્રમાં
છેલ્લા કેટલાક દિવસથી સ્વાસ્થ્ય મંત્રાલયના નેજા હેઠળ વિવિધ વિભાગોમાં બેઠકો અને સમીક્ષાનો
દોર ચાલી રહ્યો છે. ઓકિસજન સપ્લાય સિસ્ટમ ચકાસવા સરકારના નિર્દેશ પર ગુરુવારે મોકડ્રીલ
પણ યોજાઈ હતી. કેન્દ્ર અનુસાર કોવિડ 19ના જેટલા પણ કેસ સામે આવી રહ્યા છે તેમાં મોટાભાગના
હળવા લક્ષણોવાળા છે અને ઘર પર જ દર્દી સાજા થઈ રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જનતાને
પણ કોવિડ પ્રોટોકોલ, જરૂરી નિર્દેશનું પાલન
કરવા અપીલ કરી છે. તાવ-શરદી-ઉધરસ હોય તો ભીડવાળી જગ્યાએ ન જવા સલાહ અપાઈ છે.