• શનિવાર, 07 જૂન, 2025

અમરનાથ યાત્રા 52 નહીં ફક્ત 38 દિવસ જ ચાલશે

સરકારે ઘટાડી યાત્રાની અવધિ : 3 જુલાઈથી શરૂ : સુરક્ષા માટે ઈછઙિ અને અન્ય દળોની 581 કંપનીઓ તૈનાત થશે

જમ્મુ, તા.5: આ વર્ષે અમરનાથ યાત્રાનો સમયગાળો ઘટાડવામાં આવ્યો છે. આ વખતે યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 38 દિવસ સુધી ચાલશે. ગયા વખતે અમરનાથ યાત્રા 52 દિવસની હતી. પહેલગામ આતંકવાદી હુમલા પછી, જમ્મુ અને કાશ્મીરમાં પવિત્ર યાત્રાધામની સુરક્ષા માટે એક મોટી સુરક્ષા યોજના તૈયાર કરવામાં આવી હતી. એક સુનિયોજિત યોજના બનાવવામાં આવી છે, જેમાં CRPF, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સેનાનો સમાવેશ થાય છે. સુરક્ષા માટે CRPF અને અન્ય અર્ધલશ્કરી દળોની કુલ 581 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત, જમ્મુ અને કાશ્મીર પોલીસ પણ હાજર રહેશે. તમામ સુરક્ષા માર્ગોનું સુરક્ષા ઓડિટ અને ડિજીટલ મેપિંગ કરવામાં આવ્યું છે. CRPF DG પોતે પહેલગામ ગયા છે અને સુરક્ષાની સમીક્ષા કરી છે. દરેક યાત્રાળુ અને પોની સવાર માટે ડિજિટલ ઓળખકાર્ડ બનાવવામાં આવશે.

યાત્રાના કાફલામાં જામર હશે જેથી IED વિસ્ફોટ જેવી ઘટનાઓને અટકાવી શકાય. સુરક્ષા કર્મચારીઓ પાસે સેટેલાઈટ ફોન હશે. યાત્રીઓ અને વાહનોમાં રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન (RFID) હશે. યાત્રામાં પોલીસ અને સીઆરપીએફની અલગ અલગ સમર્પિત પીસીઆર વાન હશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જામનગરમાં ટ્રાવેલ્સની ઓફિસેથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો June 07, Sat, 2025