• શનિવાર, 07 જૂન, 2025

ભાગદોડ ઘટના પર કોહલીએ કહ્યંy ‘પૂરી રીતે તૂટી ગયો છું’

સચિને ભયાવહ ત્રાસદી ગણાવી

નવી દિલ્હી તા.પ: બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર આઇપીએલ વિજેતા ટીમ આરસીબીના  સ્વાગત સમારંભ દરમિયાન ભાગદોડમાં 11 લોકોના મૃત્યુ પર મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે શોક વ્યકત કર્યોં છે. સચિને કહ્યંy છે કે આ ભયાવહ ત્રાસદી છે. દરેક પીડિત પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. બધાને શાંતિ અને શકિત મળે.

જયારે આરસીબીના મુખ્ય ખેલાડી વિરાટ કોહલીએ ઇંસ્ટાગ્રામ પર લખ્યું છે કે મારા પાસે કહેવાના શબ્દો નથી. પૂરી રીતે તૂટી ગયો છું. આ સાથે કોહલી હાર્ટબ્રેક ઇમોજી મુકી છે.

ભારતીય ટીમના પૂર્વ કોચ અને મહાન સ્પિનર અનિલ કુંબલેએ કહ્યંy છે કે ક્રિકેટ માટે આ દુ:ખદ દિવસ છે. જયારે યુવરાજસિંઘે એકસ પર લખ્યું છે કે જશ્નનો માહોલ અકલ્પીનય ત્રાસદીમાં બદલી ગયો. બેંગ્લુરુ ઘટનામાં ભોગ બનનાર દરેક પીડિત પ્રત્યે મારી સંવેદના છે.

ઇરાફન પાઠણે જણાવ્યું કે ચાહકો ક્રિકેટ અને અમારા જીવનના હિસ્સા છે. બેંગ્લુરુની ઘટના દિલ તોડનારી છે. એબી ડિ’વિલિયર્સ, હરભજનસિંઘ, વિરેન્દ્ર સહેવાગ, આરપી સિંઘ સહિતના બીજા અન્ય ખેલાડીઓએ આ ઘટના પર દુ:ખ વ્યકત કરી શોક વ્યકત કર્યોં છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જામનગરમાં ટ્રાવેલ્સની ઓફિસેથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો June 07, Sat, 2025