રોહિત-કોહલીની ખોટ પડશે પણ અમારી ટીમમાં અનુભવ અને કૌશલનું સારૂં મિશ્રણ : કપ્તાન ગીલ
ઇંગ્લેન્ડ
પ્રવાસે રવાના થતાં પૂર્વે કોચ-કેપ્ટનની પત્રકાર પરિષદ યોજાઈ
મુંબઇ
તા.પ: આરસીબીની જીત પછી બેંગ્લુરુમાં થયેલ ભાગદોડ પર તીખી પ્રતિકિયા આપતા ટીમ ઇન્ડિયાના
હેડ કોચ ગૌતમ ગંભીરે કહ્યંy હતું કે મારૂ હંમેશા માનવું છે કે આવા રોડ શોની જરૂર નથી.
2007ની જીત પછી પણ મેં આમ જ કહ્યંy હતું. જિંદગી વધુ મહત્વપૂર્ણ છે અને ભવિષ્યમાં પણ
આમ જ કહીશ. ભવિષ્યમાં આપણે આવા રોડ શો પર જાગરૂક થવું પડશે. આપણે દરવાજાની પાછળ પણ
આવી ઉજવણી કરી શકતા હતા. લાખો લોકોને ભેગા કરવાની જરૂર નથી. 11 લોકોને આપણે ગુમાવ્યા
છે. તેની ભરપાઇ કયારે પણ થશે નહીં. જો તમે ભીડ કન્ટ્રોલ કરી ન શકતા હો તો આવી ઉજવણીની
શું જરૂર હતી. આ માટે કોણ જવાબદાર છે તે હું
કેમ નકકી કરી શકુ.
ઇંગ્લેન્ડ
પ્રવાસે રવાના થતાં પૂર્વે ટીમ ઇન્ડિયાના નવા ટેસ્ટ કપ્તાન શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની
પત્રકાર પરિષદ આજે સાંજે યોજાઇ હતી. જેમાં કોચ ગંભીરે ભાગદોડની ઘટના પર નારજગી વ્યકત
કરી હતી.
રોહિત
અને વિરાટના સંન્યાસ પર કપ્તાન ગિલે કહ્યંy કે અનુભવી ખેલાડીઓની જગ્યા ભરવી હંમેશા
મુશ્કેલ રહી છે. તેમણે ઘણા મેચ આપણને જીતાડયા છે. દબાણમાં રમવાનો તેમને અનુભવ હોય છે.
આમ છતાં અમારી ટીમ સારી છે. અનુભવ અને કૌશલનું ટીમમાં સારૂ મિશ્રણ છે. જયારે ટીમ સંયોજન
પર ગિલે કહ્યંy કે અમારી પાસે હજુ સમય છે. ઇંગ્લેન્ડમાં અમે ઇન્ટ્રા-સ્કવોડ મેચ રમશું.
10 દિવસનો કન્ડીશનલ કેમ્પ પણ છે. ઇંગ્લેન્ડ પહોંચી નિર્ણય લેવાશે. એ પણ નકકી કરશું
કે નંબર 3 અને 4 ઉપર કોણ બેટિંગ કરશે. અમારી ટીમમાં ઘણા સારા બોલર છે. બુમરાહ કયા ત્રણ
મેચમાં રમશે તે અત્યારે કહી શકાય નહીં. પરિસ્થિતિ અનુસાર નિશ્ચિત થશે.
જયારે
કોચ ગંભીરે જણાવ્યું કે અમારી પાસે સારી ટેલેન્ટેડ ટીમ છે. યુવા ખેલાડીઓ પાસે સારો
મોકો છે. અમે સારો દેખાવ કરવા માટે ઉત્સાહિત છીએ. કોચિંગમાં હંમેશા દબાણ રહેવાનું હોય
છે. હજુ પણ મારા માટે દેશ માટે જીત સૌથી મહત્વની છે. ગિલને કેપ્ટનશીપ સોંપવા વિશેના
સવાલ પર ગંભીરે કહ્યંy કે જેમ જેમ તે રમશે તેમ તેમ શિખતો જશે.