બેંગ્લુરુ
તા.4: 18 વર્ષના લાંબા ઇંતઝાર બાદ આઇપીએલ ટ્રોફી જીત્યા બાદ આરસીબીના સ્ટાર વિરાટ કોહલીએ
ઇંસ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ મુકી હતી. કોહલીએ લખ્યું કે આ ટીમે સપનું સાકાર કરી બતાવ્યું.
આ સીઝનને હું કયારે પણ નહીં ભૂલું. અમે પાછલા અઢી મહિનામાં આ સફરની પૂરી મજા લીધી.
આ જીત આરસીબીના ચાહકો માટે છે. તેમણે ખરાબ સમયમાં પણ ટીમનો સાથ ન છોડયો. કોહલીએ એમ
પણ કહ્યંy કે આ પળ ઇંતઝારને લાયક છે. કોહલીએ ઇંસ્ટાગ્રામ પર ટ્રોફી સાથે જૂના સાથીદાર
એબી ડિ’વિલિયર્સનો ફોટો શેર કર્યોં હતો અને લખ્યું હતું કે આ જીત આપની પણ છે, બિસ્કોટી.
(બન્ને એક-બીજાને આ નામે બોલાવે છે). કોહલીએ આઇપીએલ ટ્રોફી સાથે આરસીબીના કપ્તાન રજત
પાટીદાર અને ઉપ કપ્તાન જિતેશ શર્મા સાથેનો એક યુનિક ફોટો પણ શેર કર્યોં હતો.