• શનિવાર, 07 જૂન, 2025

આ જીત RCB ચાહકોને સમર્પિત : કોહલી

બેંગ્લુરુ તા.4: 18 વર્ષના લાંબા ઇંતઝાર બાદ આઇપીએલ ટ્રોફી જીત્યા બાદ આરસીબીના સ્ટાર વિરાટ કોહલીએ ઇંસ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ મુકી હતી. કોહલીએ લખ્યું કે આ ટીમે સપનું સાકાર કરી બતાવ્યું. આ સીઝનને હું કયારે પણ નહીં ભૂલું. અમે પાછલા અઢી મહિનામાં આ સફરની પૂરી મજા લીધી. આ જીત આરસીબીના ચાહકો માટે છે. તેમણે ખરાબ સમયમાં પણ ટીમનો સાથ ન છોડયો. કોહલીએ એમ પણ કહ્યંy કે આ પળ ઇંતઝારને લાયક છે. કોહલીએ ઇંસ્ટાગ્રામ પર ટ્રોફી સાથે જૂના સાથીદાર એબી ડિ’વિલિયર્સનો ફોટો શેર કર્યોં હતો અને લખ્યું હતું કે આ જીત આપની પણ છે, બિસ્કોટી. (બન્ને એક-બીજાને આ નામે બોલાવે છે). કોહલીએ આઇપીએલ ટ્રોફી સાથે આરસીબીના કપ્તાન રજત પાટીદાર અને ઉપ કપ્તાન જિતેશ શર્મા સાથેનો એક યુનિક ફોટો પણ શેર કર્યોં હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જામનગરમાં ટ્રાવેલ્સની ઓફિસેથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો June 07, Sat, 2025