• શનિવાર, 07 જૂન, 2025

અયોધ્યામાં શ્રીરામ દરબાર સહિત 14 મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા

અયોધ્યા, તા.5: ભગવાન શ્રીરામની નગરી અયોધ્યા આજે બીજી વાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાક્ષી બની હતી. શ્રીરામ જન્મભૂમિ મંદિરના પ્રથમ માળે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ યોજાયો હતો. 3 જૂનથી શરૂ થયેલા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે અંતિમ દિવસ હતો. મહોત્સવમાં ભાગ લેવા માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે રામ મંદિર પહોંચ્યા હતા. આજે સવારે 11-25 વાગ્યે અભિજિત મુહૂર્તમાં રામ મંદિરમાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ દરમિયાન મંદિર પરિસરમાં ભગવાનના શેષ અવતાર સહીત મા અન્નપૂર્ણા, ગણેશ, ભગવતી, ભગવાન શિવ, ભગવાન રામના પરિવારના દેવતા, ભગવાન સૂર્ય અને હનુમાનજીના મંદિર મળી કુલ 8 મંદિરોમાં 14 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા આજે પૂર્ણ થઈ છે.

સુરતના હીરા વેપારીએ કર્યું સોના - ચાંદીના હીરાજડિત આભૂષણોનું દાન

એક હજાર કેરેટના હીરા, 30 કિલો ચાંદી, 300 ગ્રામ  સોનું, 300 કેરેટ રૂબીથી બનેલા 11 મુગટનો સમાવેશ

અયોધ્યા, તા.5: સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે રામ દરબાર માટે હીરા, સોના અને ચાંદીના ઘરેણાનું દાન કર્યું હોવાના સમાચાર છે. વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નેવાડિયાએ જણાવ્યું હતું કે, દાનમાં મળેલા ઘરેણામાં એક હજાર કેરેટનો હીરા, 30 કિલો ચાંદી, 300 ગ્રામ સોનું, 300 કેરેટ રૂબીથી બનેલા 11 મુગટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભગવાન રામના ભાઈઓ માટે ગળાનો હાર, કાનના કુંડલ, માથા પર છત્તર, ધનુષ અને બાણ છે. આ ઘરેણાં ચાર્ટર્ડ પ્લેન દ્વારા અયોધ્યા લાવવામાં આવ્યા હતા. તે રામ મંદિર ટ્રસ્ટને દાનમાં આપવામાં આવ્યા હતા. જયપુરમાં રામ દરબારની મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે. આ મૂર્તિઓ મકરાણાના સફેદ આરસ પહાણમાંથી બનાવવામાં આવી છે. ભગવાન શ્રીરામ અને સીતા સિંહાસન પર બિરાજમાન છે. ભરત અને હનુમાન ભગવાન શ્રીરામના ચરણ પાસે બિરાજમાન છે. સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે રામ દરબાર માટે હીરા, સોના અને ચાંદીના ઘરેણાનું દાન કર્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જામનગરમાં ટ્રાવેલ્સની ઓફિસેથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો June 07, Sat, 2025