-ભારત
મુસ્લિમોને બદનામ કરે છે : પાક. નેતાનો આરોપ
ઈસ્લામાબાદ,
તા.4 : સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાની પ્રતિનિધિ મંડળના આગેવાન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ
ભારત વિરોધી ચલાવેલા જૂઠાણાનો એક મુસ્લિમ પત્રકારે પર્દાફાશ કર્યો છે. બિલાવલે આરોપ
લગાવ્યો હતો કે ભારતે પહલગામ હુમલાની આડમાં મુસ્લિમોની છાપ ખરડાવી છે. પાકિસ્તાનનું
એક પ્રતિનિધિ મંડળ બિલાવલની આગેવાનીમાં યુએન પહોંચ્યું હતું. અહીં એક પત્રકાર પરિષદમાં
બિલાવલના જૂઠને એક પત્રકારે પકડી પાડયું હતું. તેમણે કહ્યું કે ભારત પર મુસ્લિમોને
બદનામ કરવાનો આરોપ લગાવાયો છે પરંતુ મેં ખૂદ ભારતીય સેનાનું બ્રિફિંગ્સ જોયું છે જેમાં
એક મુસ્લિમ અધિકારી (કર્નલ સોફિયા કુરેશી) સામેલ હતા. દરમિયાન બિલાવલે શાંતિનો રાગ આલાપી કહ્યું કે પાકિસ્તાન
શાંતિ ઈચ્છે છે પરંતુ શરતો સાથે નહીં