• શનિવાર, 07 જૂન, 2025

15 લાખની લાંચ ન આપી એટલે 4 માળની ઈમારત બોમ્બથી ફૂંકી

ઈન્દોરમાં નગર નિગમની કાર્યવાહીમાં લાંચકાંડનો વિસ્ફોટ

ઈન્દોર, તા.4 : મધ્યપ્રદેશમાં એક ચોંકાવનારા બનાવમાં ખુલાસો થયો છે કે રૂ.1પ લાખની લાંચ આપવામાં ન આવતાં આખી ઈમારત બોમ્બથી ફૂંકી મારવામાં આવી છે. ઈન્દોરમાં 4 માળની એક ઈમારતને બોમ્બથી ઉડાવી દેવાયા બાદ લાંચકાંડનો વિસ્ફોટ થયો છે.

નગરનિગમ તરફથી 4 દિવસ પહેલા કરવામાં આવેલી કાર્યવાહી અંગે હવે ઈમારતના માલિક ડો.ઈઝહાર મુંશીએ દાવો કર્યો છે કે આ ઈમારતના નિર્માણ માટે રૂ.પ લાખની લાંચ આપવામાં આવી છે અને વધુ 1પ લાખ માગવામાં આવ્યા હતા જે ન આપતાં વિસ્ફોટક લગાવીને ઈમારત તોડી પાડવામાં આવી છે. આવા આરોપ બાદ મેયરે બનાવની તપાસનો આદેશ આપી દોષિતો વિરુદ્ધ કડક પગલાં લેવાનો આદેશ આપ્યો છે. આ પહેલા નગરનિગમ યોજના ક્રમાંક પ4, પીયૂ-4માં નાળાથી 9 મીટરના અંતરે બનાવવામાં આવેલી 4 માળની ઈમારતને પોલકેનના માધ્યમથી તોડી બાદમાં વિસ્ફોટકથી તોડી પાડવામાં આવી હતી.  ડો.મુંશી આ ઈમારતમાં હોસ્પિટલ ખોલવાના હતા. તેમણે મીડિયા સમક્ષ આરોપ લગાવ્યો કે રર નવેમ્બર ર0ર0ના રોજ તેમણે ઈમારતનો નકશો પાસ કરાવ્યો ત્યારે બિલ્ડિંગ ઓફિસરે લાંચના રૂ.પ લાખ લીધા હતા અને હવે વધુ 1પ લાખની માગ કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જામનગરમાં ટ્રાવેલ્સની ઓફિસેથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો June 07, Sat, 2025