બરોડા, તા.5: કેનેડામાં નોકરી કરતા યુવાન અને તેના પરિવારને અંધારામાં રાખી પરિણીત યુવતીએ રજિસ્ટર લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા બાદ પરત ન ફરનાર અને કરિયાવરમાં મળેલ રૂપિયા 5 લાખના દાગીના અને યુવાન પાસે લીધેલ રોકડ મળી રૂપિયા 6.50 લાખ પરત ન કરનાર પરિણીત યુવતી સામે ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
શહેર
નજીક ઊંડેરા ખાતે પેટ્રો કેમિકલ ટાઉનશીપમાં રહેતા ઉમેશ ભોળાભાઈ યાદવ પરિવાર સાથે રહે
છે. તેમણે કેનેડામાં નોકરી કરતા પુત્ર મુકેશ સાથે છેતરાપિંડી કરી લગ્ન કરનાર નીલુ અશોક
યાદવ સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ, મે, 2021માં મુકેશ કેનેડાથી વડોદરા આવ્યો હતો
અને નીલુ સાથે ડભોઇ વાઘનાથ મહાદેવ મંદિરમાં લગ્ન કરાવ્યા હતા. જે અંગે ડભોઇ નગરપાલિકામાં
લગ્નની નોંધણી કરાવી હતી. નીલુ 10-12 દિવસ વડોદરા રહ્યા બાદ તેની નોકરીના કારણે તે
મુંબઈ જતી રહી હતી. ત્યારબાદ નીલુએ મોહિત યાદવ નામના યુવાન સાથે લગ્ન કર્યા હોવાની
મુકેશને જાણ થતાં તે ચોંકી ઉઠયો હતો.
મુકેશે
પોતાના વતનમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, નીલુ અને મોહિતે મે, 2015માં ઉત્તર
પ્રદેશના દેવરિયા જિલ્લામાં લગ્ન કરી લીધા છે. આ અંગે મુકેશના પિતા ઉમેશભાઇ યાદવે પુત્રની
જિંદગી બગાડનાર નિલુ અશોકકુમાર યાદવ સામે ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં
આક્ષેપ કર્યો છે કે, નીલુને લગ્ન સમયે આપેલા રૂપિયા 5,29,800ની કિંમતના સોનાના દાગીના
અને લગ્ન નક્કી થયાં તે સમયે આપેલા રૂપિયા 1.50 લાખ મળી રૂપિયા 6.50 લાખ ઉપરાંતની ઠગાઇ
કરી છે. ડભોઇ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.