ફૂલછાબના
જાહેરખબર મેનેજર મનીષ જાનીના માતુશ્રીનું અવસાન: આજે સ્મશાન યાત્રા
રાજકોટ:
રામોદ નિવાસી હાલ- રાજકોટ, રમણીકલાલ પુરુષોત્તમભાઇ જાની (નિવૃત્ત ખેતીવાડી ખાતુ)ના પત્ની મંજુલાબેન (ઉ.વ.85)
તે સ્વ. છગનભાઇ, સ્વ. જશવંતભાઇ, સ્વ. રસિકભાઇ, પ્રવીણભાઇના ભાઇના પત્ની તથા સ્વ. હરેશભાઇ
(સિવિલ કોર્ટ રાજકોટ), મનીષભાઇ (જાહેરખબર મેનેજર ફૂલછાબ)(99240 51718), મીનાબેન વિપુલકુમાર
દવેના માતુશ્રી, નિકેત અને સંકેતના દાદીમાં તથા ઝવેરચંદ મહેતાના પુત્રીનું તારીખ
31 મે, શનિવારના રોજ અવસાન થયું છે. સદગતની સ્મશાન યાત્રા તારીખ 1 જુન, રવિવારે સવારે
8-00 કલાકે તેમના નિવાસસ્થાને ‘હરેશ’, 1/9 જંક્શન પ્લોટ, રાજકોટ ખાતેથી નીકળશે.
વેરાવળ:
ભારતીબેન રૂઘાણી (ઉ.81) તે સ્વ.પ્રબોધભાઈ દામોદરદાસ રૂઘાણીનાં પત્ની તથા મયંકભાઈ, ભરતભાઈ,
ફાલ્ગુનીબેન સંજયભાઈ રૂપારેલીયા (જૂનાગઢ)ના માતુશ્રી તથા પોરબંદર નિવાસી ગોરધનદાસ હરિદાસ
લાખાણીનાં પુત્રી તા.31નાં રોજ અવસાન થયું છે. પ્રાર્થના સભા તેમજ પિયક્ષ પક્ષની સાદડી
તા.રને સોમવારે સાંજે 4 થી પ ‘અઢિયા હોલ’, પેટ્રોલ પંપ પાસે, એસ.ટી.રોડ, વેરાવળ ખાતે
રાખેલ છે.
જૂનાગઢ:
સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મૂળ મજેવડી નિવાસી જસુમતીબેન (ઉ.90) તે સ્વ.રતિલાલ
ત્રંબકલાલ પુરોહિતના પત્ની તથા પ્રકાશભાઈ (ભીખુભાઈ વિમાવાળા), સુશીલાબેન નવનીતરાય ભટ્ટ
(તલગણા), સ્વ.પ્રવીણાબેન ધીરજલાલ પંડયા (જૂનાગઢ) અને હંસાબેન રમેશકુમાર ભટ્ટ (મેંદરડા)ના
માતુશ્રી તેમજ સ્વ.પ્રાણશંકરભાઈ, સ્વ.વલ્લભભાઈ, સ્વ.મુકુંદભાઈ, સ્વ.લક્ષ્મીશંકરભાઈ
અને સ્વ.ધનશંકરભાઈના બહેન તથા ગોપાલભાઈ અને દુષ્યંતભાઈના દાદીમાનું તા.30નાં રોજ અવસાન
થયું છે. ઉઠમણુ તથા પિયરપક્ષની સંયુક્ત સાદડી તા.રનાં રોજ 4 થી 6 ઢોલરીયા સમાજ, કુંભારવાડા,
મજેડવી ખાતે છે.
ગોંડલ:
રાજેન્દ્રભાઈ ભરતભાઈ વાજા (કુમાર ગ્રુપ) તે રોહિતભાઈ તથા અમિતભાઈના ભાઈનું તા.31નાં
અવસાન થયું છે. બેસણુ તા.રને સોમવારે 3 થી પ લીમ્બચ હોલ, વાણંદ જ્ઞાતિની વાડી, પુનિત
નગર, ગોંડલ ખાતે રાખેલ છે.
ધોરાજી:
ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ કાંતિલાલ અંબાશંકર વ્યાસ (ઉ.90) તે સ્વ.મહેન્દ્રભાઈ વ્યાસના
મોટાભાઈ, તુષારભાઈ, દીપાબહેન ગિરીશકુમાર દવે (રાજકોટ)ના પિતા તથા પર્વ, ક્રિશીલ, દેવર્ષિના
દાદાનું તા.30નાં અવસાન થયું છે. બેસણુ તા.રને સોમવારે સાંજે 4 થી 6 બ્રહ્મસમાજની વાડી,
સ્ટેશન પ્લોટ, બગીચા પાસે, ધોરાજી ખાતે રાખેલ છે.
વાંકાનેર:
સ્વ.જયદેવપ્રસાદ મણીશંકર જાનીના પત્ની વસંતબેન (ઉ.98) તે નિલેશભાઈ, ઘનશ્યામભાઈ, રમેશભાઈ,
હસુભાઈ, સુરેશભાઈ, અન્નપૂર્ણાબેન તથા જયશ્રીબેનના માતુશ્રીનું તા.31નાં રોજ અવસાન થયું
છે. બેસણુ તા.રને સોમવારે સાંજે પ થી 6 તેમના નિવાસસ્થાન જીનપરા ચોક, શેરી નં.7 ક્રિષ્ના
એપાર્ટમેન્ટની બાજુમાં, વાંકાનેર ખાતે રાખેલ છે.
પાનેલી
મોટી: જતીનભાઈ ધીરૂભાઈ હીરાણી (ઉ.38) તે નીખીલભાઈ હીરાણીના મોટાભાઈનું તા.31નાં રોજ
અવસાન થયું છે. બેસણુ તા.રને સોમવારે સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાન જૈન દેરાસર પાસે
રાખેલ છે.
રાજકોટ:
દિનેશભાઈ મગનભાઈ લાંઘણોજા તે નવીનભાઈ, કિશોરભાઈના ભાઈ, તુષારભાઈના પિતા, સ્વ.ડાયાભાઈ-દકુભાઈનાં
(ભઈલાભાઈ)ના જમાઈનું તા.31નાં અવસાન થયું છે. બેસણુ તા.રને સોમવારે સાંજે 4 થી 6 તેમના
નિવાસ સ્થાન, કોઠારીયા સોલ્વંટ, ગોંડલ હાઈવે, પંડીત દીન દયાળનગર, ત્રણ માળીયા ક્વાર્ટરમાં
બ્લોક નંબર-19 રાજકોટ ખાતે છે.
રાજકોટ:
કાંતિભાઇ (ઉં.63) તે દેવશીભાઇ ચનાભાઇ પરમારના પુત્ર તથા રમિલાબેનના પતિ અને વિનોદભાઇ,
હર્ષદભાઇ, મનસુખભાઇના ભાઇ તથા ભારતીબેન, સુનિલભાઇ, અમિતભાઇ, મોહિતભાઇના પિતાનું તા.30ના
અવસાન થયું છે. બેસણું: તા.1ને રવિવારે સાંજે 5 થી 7 રોહિદાસપરા, મેઇન રોડ, રણછોડદાસ
આશ્રમ પાસે, કુવાડવા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
રાજકોટ:
મુળ હળવદ, હાલ રાજકોટ નિવાસી રમેશભાઇ માયાશંકર મેહતા (ઉ.86) તે સ્વ. મહેન્દ્રભાઇ મેહતાના
નાનાભાઇ, ક્રિષ્નાબેનના પતિ, ઓજસ મેહતા (રૂડા ઓફિસ, રાજકોટ), મીતાબેન ઘેલાણી, મનીષાબેન
વ્યાસના પિતાનું તા.31મીએ અવસાન થયું છે. બેસણું: તા.2ના રોજ સાંજે 5 થી 6 હળવદ બ્રાહ્મણ
બોર્ડિગ, સરદારનગર મેઇન રોડ, એસ્ટ્રોન ચોક પાસે, રાજકોટ ખાતે
રાખેલ
છે.
રાજકોટ:
રંભાબેન મનજીભાઇ સોજીત્રા, મૂળ ઉપલેટા, હાલ રાજકોટનું તા.31ના રોજ અવસાન થયું છે. બેસણું:
તા.2ને સોમવારે સવારે 8 થી 10 જાગૃતિદીપ, મેનોર એપાર્ટમેન્ટ-સી, ગીતાજંલી કોલેજ પાસે,
સાધુવાસવાણી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
ગોંડલ:સુમનલાલ
ધીરજલાલ દોમડીયા (ઉ.87)તે સ્વ. નયનાબેનના પતિ તથા સ્વ. રમણીકભાઇ, નવનીતભાઇ, સુરેશભાઇ,
ધનુભાઇ, ભુપેનભાઇ, સ્વ. મુકેશભાઇના ભાઇ તથા સંજયભાઇ, પરાગભાઇ, મનીષભાઇ, રીટાબેનના પિતા
તથા વિધિ, હેમાંગના દાદા, ડોલી, આયુષના નાનાનું અવસાન થયું છે. પ્રાર્થના સભા સવારે
10-30 થી 12 તા.5ને ગુરૂવારે બેનાણી વાડી, વચલી શેરી, ગોંડલ ખાતે રાખેલ છે.