• શનિવાર, 13 ડિસેમ્બર, 2025

avshan nodh

ચક્ષુદાન

પોરબંદર: પ્રવીણભાઈ સામજીભાઈ ગોહેલ (ઉં.66) તે હેમુભાઈના ભાઈ, જલ્પાબેન, આરતીબેન અને વિભૂતિબેનના પિતાશ્રીનું તા.6ના અવસાન થયું છે. સદગતનું ચક્ષુદાન કરવામાં આવ્યું છે.

રાજકોટ: સોની અરવિંદભાઈ અમૃતલાલ આડેસરા (ઉ.70) તે ભાવેશભાઈ, હિરેનભાઈ, નિલેશભાઇ, માલતીબેન ધર્મેશકુમાર બારભાયાના પિતાશ્રી, સ્વ.નરોત્તમભાઈ જગજીવનદાસ પાટડીયા (વિરપરડા) તથા પ્રવિણભાઈ, શાંતિભાઈના બનેવીનું અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તા.7ના સાંજે 4-30 થી 6, સ્વામિનારાયણ ગુરૂકુળ, સહજાનંદ હોલ, ઢેબર રોડ, રાજકોટ છે.

રાજકોટ: અતુલભાઈ શાંતિલાલ હીરાણી (હિંડોચા)(આરઝુ અલ્પાહાર) તે અપુર્વ, પ્રશાંત (મલાવી), શ્રેયા હિતેનકુમાર વિઠ્ઠલાણી (જામખંભાળિયા)ના પિતાશ્રી, સ્વ.દક્ષાબેન પંકજકુમાર માંડવીયા, કમલેશ, દીપક, અનિલ, ભાવેશ તથા આશિષ હિંડોચાના ભાઈનું તા.5ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, પિયર પક્ષની સાદડી તા.6ના સાંજે 5 થી 6-30 દરમિયાન આત્મીય કોલેજ, પ્રાર્થના હોલની પાછળ, કાલાવડ રોડ, રાજકોટ છે.

જૂનાગઢ: માળીયા હાટીના વાળા રસીલાબેન (દેવકીબેન) જેન્તીલાલ કોટક (ઉ.વ.70) તે માળીયા હાટીના વાળા બાવચંદભાઈ (પ્રભુદાસભાઈ) કાળીદાસ સુબાની પુત્રી, અલ્પેશભાઈ કોટક (કો.કો.બેંકવાળા)ના માતુશ્રી, સ્વ.હરેશભાઈ સુબા, પરેશભાઈ સુબા, ભાવેશભાઈ સુબા માળીયા તેમજ તરૂબેન રૂપારેલીયા, જાગુબેન તન્નાના મોટા બહેનનું તા.5ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.7ના બપોરે 4 થી 6, સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, ગરનાળા પાસે જૂનાગઢ છે.

ઢસા જંક્શન: ભીખાભાઈ વનમાળીભાઈ હિરાણી (ઉ.71) તે રમેશભાઈ, સુરેશભાઈ હિરાણીના મોટા ભાઈ, સ્વ.શૈલેષભાઈ તથા સમીરભાઈ હિરાણી તથા આરતીબેન રાઠોડ, દિપાલીબેન બગથલીયાના પિતાશ્રી, કેવલ અને જાનવીના દાદા, ભરતભાઈ કાન્તિભાઈ પરમારના બનેવીનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.7ના સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

રાજકોટ: સ્વ.મોહનલાલ ભીમજીભાઈ ખંધડીયાના પુત્ર મનસુખલાલ તે સ્વ.રમણીકભાઈ, સ્વ.દિલીપભાઈના ભાઈ, મેહુલભાઈ, મનીષાબેન કમલેશકુમાર ચંદારાણાના પિતાશ્રી, સ્વ.મુક્તાબેન, સ્વ.મંજુબેન, સ્વ.ઈન્દુબેન તથા જ્યોત્સનાબેનના ભાઈ, નિયતી કમલેશ ચગ તથા પરમના દાદાનું તા.6ના અવસાન થયું છે. ઉઠમણું તા.7ના સાંજે 5 કલાકે, પંચનાથ મંદિર, રાજકોટ છે.

રાજકોટ: સ્વ.માવજીભાઈ નાનજીભાઈ રાઠોડના પુત્ર હેમુભાઈ રાઠોડ (કિશોર ઓટોમોબાઈલવાળા) (ઉ.83) તે ધર્મિલાબેનના પતિ, મનમોહનભાઈ, જયંતિભાઈ, વિનોદભાઈ અને કિશોરભાઈ (દિપક મોટર્સ)ના ભાઈનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.7ના સાંજે 4 થી 6, ચંદ્રમૌલેશ્વર મંદિર, સાધુવાસવાણી રોડ, અજંતા પાર્ક, જનકપુરી, રાજકોટ છે.

રાજકોટ: જયભાઈ દિલીપભાઈ રાજદેવ (આઈસીઆઈસીઆઈ બેંક), તે સ્વ.દિલીપભાઈ ગીરધરભાઈ રાજદેવના પુત્ર, સ્વ.નિષ્ઠાબેનના પતિ, મિષ્ટિના પિતાશ્રી, વિશાલભાઈના મોટાભાઈ, સ્વ.દિલીપભાઈ ત્રિવેદીના જમાઈ, નિરવ, વૈશાલી, દૃષ્ટિ, સીમાના બનેવીનું અવસાન થયું છે. બેસણું તા.7ના સાંજે 5 થી 6, સિદ્ધનાથ મહાદેવ મંદિર, રામ પાર્ક સોસાયટી, શેરી નં.6, પંચાયતનગર, યુનિવર્સિટી રોડ, રાજકોટ છે.

પોરબંદર: વિજયાબેન (ઉ.73) તે લક્ષ્મીદાસ કરશનદાસ કારીયાના પત્ની, કમલેશભાઈ, શૈલેષભાઈ, ચેતનાબેન લલીતભાઈ ગોંધીયાના માતુશ્રીનું તા.5ના અવસાન થયું છે.

સાવરકુંડલા: રીટાબેન મહેશભાઈ પીઠવા તે મહેશભાઈ બાબુભાઈ પીઠવાના પત્ની, કેવલના માતાનું તા.2ના અવસાન થયું છે. બેસણું તા.7ના સાંજે 4 થી 6, કૃષ્ણકુંજ સોસાયટી, નંદીગ્રામ સોસાયટી પાછળ, જેસર રોડ, સાવરકુંડલા છે.

કોડીનાર: જયાબેન નાનાલાલ સુબા (ઉ.85) તે નાનાલાલ કાલિદાસ સુબાના પત્ની, વિનોદભાઈ, મનોજભાઈ તથા કંચનબેન કાનાબાર (ડોળાસા) તથા બીનાબેન છગ (પ્રાંચી), નીતાબેન માખેચા (કામરેજ)ના માતુશ્રી, જેન્તીભાઈ સુબા મહેતાજીના કાકી, હરેશભાઈ સુબા (કેસરિયા)ના કાકી, ગોરધનભાઈ ઓધવજી તન્ના ફાફણીવાળાના પુત્રીનું તા.6ના અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.7ના શનિવારે સવારે 9-30 કલાકે તેમના નિવાસ સ્થાન, અમૃત નગર, આગમન હોસ્પિટલ પાસેથી નીકળશે. ઉઠમણું તા.7ના સાંજે 4-30 થી 6, પીપળેશ્વર મહાદેવ મંદિરે છે.

રાજકોટ: વિજયાબેન ગીરધરભાઈ સીતાપરા (ઉં.6પ) તે પ્રકાશભાઈ, કિરણબેન, જયશ્રીબેનના માતુશ્રી રેખાબેન, ભાવેશકુમાર મનુભાઈ બડેલિયાના સાસુ, પ્રતીક, રક્ષિતના દાદીનું તા.6ના અવસાન થયું છે. બેસણુ તા.8ના સાંજે 4થી 6 વરિયાવંશ પ્રજાપતિ સમાજની વાડી, યુનિટ નંબર-1, લક્ષ્મીનગર મેઈન રોડ, ત્રિશુલ ચોક, રાજકોટ છે.

રાજકોટ: ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ.ચંદ્રકાંતભાઈ હરસુખરાય ભટ્ટ (રેલવે) (ઉં.91) તે અજય ભટ્ટ (રેલવે), સંજય ભટ્ટ, કોકિલાબેનના પિતાશ્રી, સ્વ.જ્યોતીન્દ્રભાઈ, કમલેશભાઈ, હરેશભાઈ, સ્વ.દિનકરભાઈના મોટાભાઈ, વૃંદા, જાનકી, ગૌરાંગ અને હેમાંગના દાદાનું તા.6ના અવસાન થયું છે. બેસણુ તા.7 સાંજે પથી 6 તુલશી બ્લોક નંબર 100 શેરી નંબર 4 રેલનગર 3, બજરંગ વાડી મેઈન રોડ, રાજકોટ છે. મો.નં.9879577994, 9824207813.

રાજકોટ: શિવલાલભાઈ હેમરાજભાઈ કાચા (ઉં.74) તે હિરેનભાઈ, દર્શિતભાઈ, નિશાબેનનાં પિતાશ્રીનું તા.6ના અવસાન થયું છે. બેસણુ તા.9ના 4થી 6 સિટી સેલેનીયમ રાજ હાઈટની સામે, ડિમાર્ટ, કુવાડવા રોડ, ક્લબ હાઉસમાં રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક