• બુધવાર, 15 એપ્રિલ, 2026

આ વખતે અલનીનો બનશે વિલન : ચોમાસું નબળું પાડશે !

સામાન્ય કરતાં વરસાદ ઓછો રહેવાનો હવામાન વિભાગનો પ્રાથમિક અંદાજ

નવીદિલ્હી, તા.14 : ભારતમાં આ વર્ષે અલ નીનોનો અસર અગાઉ કરતા ઘણી વધુ મજબૂત રહેવાની આશંકા છે. ભારતીય હવામાન વિભાગે ચોમાસાના પ્રાથમિક અંદાજમાં જણાવ્યું છે કે આ વર્ષે વરસાદ સામાન્ય કરતા ઓછો રહેવાની શક્યતા છે.

અમેરિકા અને યુરોપની હવામાન એજન્સીઓ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા અંદાજ મુજબ, આગામી 2-3 મહિનામાં અલ નીનોનો પ્રભાવ શરૂ થઈ શકે છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ વખતે અલ નીનો અગાઉના અંદાજ કરતાં ઘણું વધુ શક્તિશાળી બની શકે છે.  1980 પછીના અલ નીનોવાળા વર્ષોમાંથી લગભગ 70% વર્ષોમાં ચોમાસું નબળું રહ્યું છે. આ દર્શાવે છે કે પ્રશાંત મહાસાગરમાં પરિસ્થિતિ બદલાતા જ જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ભારતના વરસાદ પર સ્પષ્ટ અસર પડે છે. રિપોર્ટમાં આગળ જણાવાયું છે કે આવા કુલ 13 વર્ષોમાંથી 7 વર્ષોમાં ચોમાસુ નબળું અથવા તો ખૂબ જ નબળું રહ્યું છે. તેમાં બે વર્ષોમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો (90-96%) રહ્યો હતો. ત્રણ વર્ષોમાં સામાન્ય અને એક વર્ષમાં સામાન્ય કરતાં વધુ રહ્યો હતો. જેમાં 2018 અને 2002માં ચોમાસામાં ખૂબ જ ઓછો વરસાદ પડયો હતો.

કેટલાંક વર્ષોમાં અલગ સ્થિતિ પણ જોવા મળી છે. જેમ કે 2014માં પ્રશાંત મહાસાગરમાં વધતી ગરમી છતાં અલ નીનો સંપૂર્ણ રીતે વિકસિત ન થયું હોવા છતાં ચોમાસા પર અસર પડી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક