બર્મિગહામ, તા.7: ભારતીય કપ્તાન શુભમન ગિલે બીજા ટેસ્ટમાં ઇંગ્લેન્ડના સામેની જીતનો શ્રેય આકાશદીપ અને મોહમ્મદ સિરાજને આપ્યો હતો. આ બન્ને બોલરોએ ટીમના સ્ટ્રાઇક બોલર બુમરાહની અનુપસ્થિતિમાં 17 વિકેટ લીધી હતી. મેચ બાદ ગિલે કહ્યંy આ બન્નેએ કપ્તાનના રૂપમાં મારું કામ ઘણું આસાન કરી દીધું હતું. આકાશદીપે કુલ 10 અને સિરાજે 7 વિકેટ લીધી હતી.
કપ્તાન
શુભમન ગિલે 336 રનની વિક્રમી જીત બાદ ચેતેશ્વર પુજારા સાથેની વાતચીતમાં જણાવ્યું કે
બુમરાહ આ મેચમાં ન હતો, પણ અમારી પાસે એવા બે બોલર હતા જે 20 વિકેટ લેવા સક્ષમ હતા.
પહેલા મેચની હાર પછીની વાપસીનો શ્રેય કેપ્ટને બોલિંગ અને ફિલ્ડિંગને આપ્યો હતો. ગિલે
કહ્યંy આ પહેલા પણ અમે ઘણીવાર પહેલો મેચ ગુમાવ્યા પાછી સારી વાપસી કરી છે. જો અમે સતત
4પ0 આસપાસ રન કરતા રહેશું તો બોલરો અમને મેચમાં બનાવી રાખશે.
કપ્તાન
ગિલે 269 અને 161 રનની ઈનિંગ રમી હતી. તેણે કહ્યંy અમને ખબર હતી કે આ પિચ પર પ00 આસપાસ
સ્કોર કરશું તો વિજયનો મોકો બની રહેશે. દરેક મેચ હેડિંગ્લે જેવો નથી હોતો. પોતાની દેખાવ
પર કપ્તાને કહ્યંy મારા યોગદાનથી શ્રેણી જીતવામાં સફળ રહેશું તો એ ઘણું સારું ગણાશે.
આ તકે
ભારતીય સુકાનીએ સ્પષ્ટતા કરી કે તા. 10મીથી શરૂ થતા લોર્ડસ ટેસ્ટમાં બુમરાહ રમશે. ગિલે
બીજા ટેસ્ટની સપાટ પીચ અને ડયૂક બોલની ગુણવાતાની ટીકા કરી હતી.