અમદાવાદ, તા. 6: ચોમાસાની ઋતુમાં વીજ શોક લાગવાનું જોખમ વધી જાય છે ત્યારે ખેતરમાં કામ કરતી વખતે બોરવેલ ચાલુ કરવા જતા વીજ શોક લાગતા એક જ પરિવારના ત્રણના મૃત્યુ વાવ તાલુકામાં થયા છે જ્યારે આણંદના ઉમરેઠમાં પણ વીજ શોકથી બે યુવાનના મૃત્યુ નિપજ્યા છે. આમ પાંચ-પાંચ લોકોના જીવ વીજ શોકને લીધે જતા અરેરાટી ફેલાઈ ગઈ છે.
વાવ તાલુકાના ધરાધરા ગામે વીજ કરંટ લાગવાથી એક પરિવારના
ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યાં છે. માતા-િપતા અને પુત્ર ખેતરમાં બોરવેલ ચાલુ કરવા ગયા
હતા, જ્યાં તેમને વીજ કરંટ લાગ્યો હતો. હાલ મૃતક પરિવારના મૃતદેહને વાવ ખાતેની સરકારી
હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યાં છે. બીજી તરફ આણંદના ઉમરેઠમાં વીજ કંરટ લાગતા
બે યુવકના મૃત્યુ નિપજ્યાં છે. વાવ તાલુકાના ધરાધરા ગામે વહેલી સવારે જેઠા મકવાણા,
રખુંબેન મકવાણા અને પુત્ર પથુ મકવાણા ખેતરમાં બોરવેલ ચાલુ કરવા ગયા હતા. આ દરમિયાન
તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવાર ઘટનાસ્થળો દોડી આવ્યો હતો.
હાલ મૃતદેહને પીએમ અર્થ ખસેડાયા હતાં. આ સમગ્ર ઘટના બાદ ગામમાં શોકનો માહોલ છે. બીજી તરફ આણંદના ઉમરેઠ પાસેના બેચરી ગામે વીજ કંરટ
લાગતા બે યુવકના મૃત્યુ થયા છે. મોહરમ નિમિત્તે કતલની રાત્રીએ તાજિયા રમતા વીજ કરંટ
લાગ્યો હતો. જેમાં મોહસીનખાન અને હુસેનખાનના મૃત્યુ નિપજ્યા. નોંધનીય છે કે, તાજીયા
રમતા તાજિયા વીજ વાયરને અડી જતાં બન્ને યુવક મૃત્યુને ભેટયા હતા. બેચરી ગામમાં મોહરમ
પર્વ માતમમાં છવાયો હતો.