નવી
દિલ્હી, તા. 1 : ભારતીય નૌકાદળની તાકાત અને તટીય સુરક્ષાને વધારે મજબૂત કરવા માટે ‘માલવન’
નામની સબમરીન વિરોધી યુદ્ધ વોટર ક્રાફ્ટ (એએસડબલ્યૂ એસડબલ્યૂસી) નૌકાદળને સોંપી દેવાયું
છે. આ દેશમાં સ્વદેશી રક્ષા નિર્માણને પ્રોત્સાહન આપતી આત્મનિર્ભર ભારત પહેલા હેઠળ
એક મહત્ત્વની ઉપલબ્ધિ છે. આ યુદ્ધ જહાજનું નિર્માણ કોચ્ચિ સ્થિત કોચીન શિપયાર્ડ લિમિટેડ
દ્વારા કરવામાં આવ્યું છે.