• બુધવાર, 18 જૂન, 2025

80 કરોડના ખર્ચે બનનારા પુલનો ભાગ તૂટયો છ મજૂર ઘાયલ : ખઙમાં ભ્રષ્ટાચારની આશંકા : બાંધકામ કંપનીને નોટિસ

શિવપુરી, તા. 15 : મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં રવિવારે 80 કરોડના ખર્ચે નિર્માણાધીન ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડતાં છ મજૂરો ઘાયલ થયા હતા. જે સમયે આ ઘટના બની ત્યારે કોઈ કામ કરી રહ્યું ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. બાંધકામ ગુણવત્તા નિયંત્રણ અધિકારી પ્રવીણ પાંડેએ પત્રકારોને જણાવ્યું હતું કે, આ અકસ્માત ટેકનિકલ ખામીને કારણે થયો હતો, પરંતુ આ નિર્માણકાર્યમાં ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરી હતી.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ, એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના બપોરે 1 વાગ્યે પોહરી ધોરીમાર્ગ પર બસ સ્ટેન્ડ અને રેલવે લેવલ ક્રોસિંગ પાસે બની હતી, જે ભાગ તૂટી પડ્યો તેની નીચે કોઈ કામ કરી રહ્યું ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ કોંક્રિટ નાખી રહેલા છ મજૂર ઘાયલ થયા હતા, જેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે તેમ કહ્યું હતું.

વધુમાં ઉમેર્યું હતું કે,  મધ્યપ્રદેશ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (એમપીપીડબલ્યુડી)એ પુલ બનાવવાનો કોન્ટ્રાક્ટ શુભમ કન્સ્ટ્રક્શન નામની કંપનીને આપ્યો છે. કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે, આ અકસ્માત ટેકનિકલ ખામીને કારણે થયો હતો. વધુ પડતી ધ્રુજારીથી માળખું અસ્થિર બન્યું અને તૂટી પડ્યું હતું. બીજી તરફ ભ્રષ્ટાચારના કારણે આ ઘટના સર્જાઈ હોય તેવી આશંકા છે.

 કોતવાલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ કૃપાલ સિંહ રાઠોડે જણાવ્યું હતું કે બાંધકામ એજન્સીને નોટિસ જારી કરવામાં આવી છે. તપાસ ચાલી રહી છે, જવાબદારો સામે કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક