• બુધવાર, 18 જૂન, 2025

ઘરે બેસીને જ અપડેટ થઈ શકશે આધારની માહિતી

નવેમ્બરમાં આધાર કાર્ડની જાણકારી બદલાવ માટે ડિજીટલ સુવિધા શરૂ થવાની સંભાવના

નવી દિલ્હી, તા. 17 :આધાર કાર્ડ ભારતમાં એક ખુબ જરૂરી ઓળખનો દસ્તાવેજ છે, હવે આધાર અપડેટ કરવાની પ્રક્રિયામાં એક મોટો બદલવા થવા જઈ રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર નવેમ્બર 2025થી આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે આધાર સેન્ટર જવાની જરૂરિયાત ખતમ થઈ જશે. આ બદલાવ લોકો માટે ખુબ જ સુવિધાજનક બનશે, કારણ કે ઘરે બેસીને જ અધાર કાર્ડની માહિતી અપડેટ કરી શકાશે.

 નવી પ્રક્રિયામાં ઓટીપી મારફતે અપડેટ સંભવ બનશે, બર્થ સર્ટિફિકેટ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ જેવા ડોક્યુમેન્ટ્સથી વેરિફિકેશન થઈ શકશે. વર્તમાન સમયે કોઈ વ્યક્તિ આધાર અપડેટ કરાવવા ઈચ્છે તો આધાર સેન્ટર જવું પડે છે. જો કે નવેમ્બર 2025થી પૂરી પ્રક્રિયા ઓનલાઈન થઈ જવાની શક્યતા છે. યુઝર્સને માત્ર એક ઓટીપીની જરૂર પડશે. જેના મારફતે ઘરે બેસીને જ આધાર કાર્ડ ડિટેલ્સ અપડેટ કરી શકાશે.

યુઆઈડીએઆઈ એક નવી મોબાઈલ એપ પણ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. જેને ઈ આધાર કહેવામાં આવશે. આ એપ મારફતે યુઝર્સ પોતાના આધાર કાર્ડમાં રહેલી વર્તમાન જાણકારીને અપડેટ કરી શકશે. બાયોમેટ્રિક અને આઈરિસ સ્કેનમાં બદલાવ માટે જ આધાર સેન્ટર જવું પડશે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક