ધોરાજી, તા.17: ધોરાજીમાં ભાદર કોલોની ઇરીગેશન સોસાયટીમાં બાળકોના ઝઘડાને લઇ વર્ષ 1999માં આરોપી મહિલાએ એક બાળકની પોતાના ઘરમાં દસ્તાના ઘા જીકી હત્યા કરી લાશ કોથળામાં ભરી બહાર ફેંકી દીધી તી. જે ક્રૂર ઘટનામાં તાજેતરમાં ધોરાજી કોર્ટે વીસ વર્ષની સજા ફરમાવી હતી. જો કે આ મહિલા છેલ્લા 25 વર્ષથી નાસતી ફરતી હતી.
વર્ષોથી ભાગેડું જાહેર થયેલ મહિલા
અરુણાને સજા થયા બાદ ઝડપી લેવા ધોરાજીના પોલીસ દ્વારા ટીમ બનાવવામાં આવી હતી અને
1999ના અરસાથી આ કામના આરોપી અરુણા ઉર્ફે અનિતા નાસ્તા ફરતા હતા. તેમના પતિ રાજેશ દેવમુરારી
સુરેન્દ્રનગર સ્થાયી થયા હતા તે છેલ્લા ત્રણ વર્ષથી નિવૃત્ત થયા છે. રાજેશ દેવમોરારી
અને અરુણાબેનના લગ્ન જીવનથી એક દીકરો અને એક દીકરી પણ હતા. માતા તરીકે પણ આ ટ્રાયલમાંથી
બચવા માટે પોતાના સગા સંતાનોનો પણ કયારેય સંપર્ક કર્યો ન હતો. વડોદરામાં અનિતા બ્યુટી
પાર્લરના નામથી આ આરોપી બ્યુટી પાર્લર ચલાવી રહ્યા હતા.
તેઓ વડોદરામાં અન્ય શખસ સાથે
લીવ ઇન રિલેશનશિપમાં રહેતા આ સંબંધથી પણ તેમને બે દીકરીઓ હતી. આ તમામ તપાસના અંતે ફરિયાદી
ગિરધરભાઇ કોઠીયા તથા આરોપી અરૂણા ઉર્ફે અનિતાના પતિ રાજેશ દેવમુરારીએ પણ ખરાઇ કરી આપી
કે આ તેજ વ્યક્તિ છે. તને પોલીસે આજીવન કેદની સજાનું વોરંટ ચાલુ હોય આરોપીની ધરપકડ
કરી ધોરાજીના અલી હુસેન મોહીબુલા શેખ સમક્ષ રજૂ કર્યા હતા. જજે આજીવન કેદની સજા ભોગવવા
આરોપીને જેલમાં મોકલી દીધા હતા.