મૂળી 7, જોડિયા 6.5, ચોટીલા-મોરબી- હળવદ 6, બોટાદ-વાંકાનેર 5.5, થાનગઢ-ઉમરાળા- ટંકારા-માળિયા મિયાણા 5, વલ્લભીપુર 3.75, વાંકાનેર-સિહેર 2.5, જામનગર-જામજોધપુર- વઢવાણ-રાજકોટ 2, ધ્રોલ 1.75, કાલાવડ-ફલ્લા-ભાવનગર 1.5, લાલપુર 1.25, ઉમરાળામાં બે દી’માં 15.44 ઇંચ વરસાદ
ગઢડામાં
પ્રથમ વરસાદે રમાઘાટ ઓવરફલો થતા અઢાર વર્ષેનો રેકોર્ડ તૂટયો
ભારે
પવન અને વીજળી પડવાથી શોર્ટ સર્કિટના કારણે ટ્રાન્સફોર્મર બળી જતા અનેક વિસ્તારોમાં
વીજળી ગૂલ
મુશળધાર
વરસાદના કારણે કોઝવે ધોવાઇ જવાથી કે પુલ પર ગાબડા પડતા અનેક ગામના રસ્તો બંધ
પીપળીયા
ગામે પૂરની સ્થિતિ ઉભી થતા એન.ડી.આર.એફ.ની ટીમ બોલાવવી પડી
રાજકોટ
તા.17:
સૌરાષ્ટ્રમાં
ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઇ હોય એમ છેલ્લા બે દિવસથી મેઘરાજાની પઘરામણી થઇ છે. ભાવનગર,
અમરેલી અને બોટાદમાં પહેલો જ વરસાદ ધોધમાર વરસતા નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા
છે. નદી-નાળા, ચેકડેમ છલકાયા છે અને ખેતરોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે અનેક
રસ્તાઓ ધોવાઇ ગયા છે. સોમવારતી રાત્રીએ ગઢડામાં 14 ઇંચ વરસાદ વરસતા સવારે સર્વત્ર પાણી-પાણી
થઇ ગયું હતું. નદીઓમાં ઘોડાપૂર આવતા અનેક ગામડાઓમાં કેડસમા પાણી ભરાતા પૂર જેવી સ્થિતિનું
નિર્માણ થય yંહતું. આ ઉપરાંત સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં આજે એક ઇંચથી લઇને
7 ઇંચ જેટલો વરસાદ વરસતા રસ્તો પર નદીઓ વહેતી થઇ હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા તેમજ
જામનગર, રાજકોટ, ભાવનગર, પોરબંદર વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. રાજકોટમાં સાંજે ધોધમાર
બે ઇંચ જેટલો વરસાદ વરસતા રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા.
ગઢડા(સ્વામી):
પંથકમાં ચોમાસાની સમયસર સારી શરૂઆત થતા સમગ્ર પંથકમાં સતત શરૂ રહેલા વરસાદના પગલે જળબંબાકાર
જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. આ વરસાદના કારણે મોટાભાગના ડેમ તેમજ નદીનાળાં છલકાઈ જતા
સિઝનના પ્રથમ વરસાદે 2007 પછી અઢાર વર્ષો બાદ રેકોર્ડ સર્જ્યો હતો. ગત સાંજથી રાત્રિ
દરમિયાન સતત વરસાદ શરૂ રહયો હતો. ઉપરવાસમાં પણ સારા વરસાદના કારણે મોટાભાગના નદીનાળાં,
ચેકડેમો છલકાઈ જતા સતત પાણીનો પ્રવાહ શરૂ રહ્યો હતો. ગઢડા શહેરમા ગત સાંજથી સવાર સુધીમાં
સરકારી માહિતી મુજબ 13 ઈંચ (389 મીમી) વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે પાણી ફરી વળતા
મોટાભાગના રસ્તાઓ બંધ થઈ જતા એસ.ટી. સહિત વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. આ વરસાદમાં
ઘેલો નદી સહિત કેટલીક જગ્યાએ નાના મોટા વાહનો સાથે ચાલકો ફસાવાની તથા તણાઈ જવાની ઘટના
બનતા રેસ્કયુ કરી બચાવકાર્ય હાથ ધરાયું હતુ. તેમજ કેટલાક કાચા મકાનો ધરાશાયી થઈ ગયા
હતા. મુશળધાર વરસાદના કારણે ગઢડાથી નિંગાળા -રોહિશાળા, ઉગામેડીથી ઝીઝાવદર, પ્રહલાદગઢથી
રાજપીપળા, રાજપરાના પાટીયાથી હામાપર ગામ તરફ, બોડકી વનાળી અને ગઢાળી, ટાટમથી ભીમડાદ
રોડ પર બાવળ પડતા રસ્તો બંધ, સમઢીયાળા - મોટી કુંડળ ભીમોરીમાના મંદિર પાસે નવુ બનેલ
નાળામાં ગાબડું પડવા સહિતના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા. જયારે પીપળીયા ગામે પૂર જેવી
સ્થિતિ ઉભી થવા એન.ડી.આર.એફ.ની ટીમ બોલાવવી પડી હતી. અનેક સ્થળોએ વીજ કંપનીના ટ્રાન્સફોર્મર
બળી જવાથી વીજ પુરવઠો વારંવાર અને લાંબા સમય સુધી ખોઈવાઈ જતા તંત્ર ઠપ બની ગયું હતું.
ઉમરાળા:
તા.16 જૂનથી શરૂ થયેલ વરસાદ આજે બીજા દિવસે પણ ચાલુ રહ્યો હતો અને આજે સાંજે ચાર વાગે
પૂરા થતા 24 કલાકમાં 386 મીમી(15.44 ઇંચ)વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી નૂકસાન અંગેની
કેટલીક વિગતો મળી છે તે મુજબ પ્લોટ વિસ્તાર વચ્ચેથી પસાર થતા રોડને સીસી રોડ બનાવવામાં
આવી રહ્યો છે તેની ઊંચાઈ મૂળ લેવલ કરતાં 9 ઇંચ વધુ હોઈ પાણીનો નિકાલ બંધ થવાથી રોડની
બંને બાજુના વિસ્તારોમાં ગોઠણ સમા પાણી ભરાતાં રહીશો મુશ્કેલીમાં મૂકાયા હતા.રોડની
દક્ષિણે આવેલ સરકારી ઉ.મા.શાળાના મકાનની ચોમેર પાણી ફરી વળ્યાં હતાં. સીમ વિસ્તારમાં
ખેતરોના પાળા તૂટી જવાથી સમગ્ર સીમ વિસ્તાર દરિયો ભાસતો હતો. તાલુકામાંથી પસાર થતા
હાઈવે પરના કોઝવે પર પૂરના પાણી ફરી વળતાં રસ્તા બંધ થઈ ગયા હતા. ઝાંઝમેર ગામે વીજ કરંટથી એક ગાયનું મોત થયું હતું.
મોરબી:
મેઘરાજાએ ગતરાત્રીથી વરસવાનું શરૂ કર્યું હતું. જેમાં મોરબીમાં 5 ઇંચ વરસાદ ખાબકતા
ગાંધી ચોક, શનાળા રોડ સહિતના માર્ગો તળાવમાં ફેરવાયા હતા. મનપા કચેરીના દરવાજે પણ પાણી
ભરાયા હતા તેમજ ટંકારા-હળવદ 4, વાંકાનેર 2.5, માળિયા મીયાણા 2 ઇંચ વરસાદ પડયો હતો.
પહેલા જ ધમાકેદાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.
જામનગર
: છેલ્લા બે દિવસથી ઉકળાટભર્યા વાતાવરણ બાદ ગઈકાલે રાત્રે 10 વાગ્યાથી વરસાદના છાંટા
શરૂ થયા હતા. રાત્રે 12 વાગ્યા બાદ ઝરમર વરસાદ શરૂ થયો હતો. જામનગર જિલ્લાના ગ્રામ્ય
વિસ્તારોમાં પણ મેઘરાજાની મહેર થઈ છે. જોડિયામાં મેઘરાજાએ સટાસટી બોલાવતા સાડા છ ઈંચ
જેટલો વરસાદ વરસી ગયો છે.જામનગર શહેર તથા જામજોધપુરમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. ધ્રોલમાં
પોણા બે, કાલાવડમાં દોઢ અને લાલપુરમાં સવા ઈંચ પાણી પડયું છે. વરસાદ દરમિયાન જામનગર
શહેરના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો. વીજતંત્ર દ‰ારા તાબડતોબ કામગીરી કરી મોટાભાગના વિસ્તારોમાં પુરવઠો પુન: કાર્યરત
કરાવી દીધો હતો.
ગારીયાધાર:
શહેર અને પંથકમાં આજે વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો. બપોર બાદ વરસાદે વિરામ લીધો
હતો પરંતુ અમરેલી જિલ્લા અને આજુબાજુના વિસ્તારોમાં વ્યાપક વરસેલા વરસાદના કારણે ગારીયાધાર
નજીકની શેત્રુંજી નદી રેલ મારી ગઈ હતી. જે પોતાના નદીના વહેણથી બહાર નીકળીને ચાર કિલોમીટર
સુધી રેલાઈ હતી. આ વર્ષના ચોમાસાની શરૂઆતમાં વરસાદ જોર પકડતા શેત્રુંજી નદીના ચાર કિલોમીટર
સુધીનો પટમાં રેલાઈ હતી જે પહેલીવાર મોટો વિસ્તારમાં રેલ મારી હતી. શેત્રુંજી નદી કાંઠે
નજીકમાં આવેલા રાણીગામ ખાતે વરસાદે ભારે તારાજી સર્જી હતી સમગ્ર ગામમાં પાણીના કારણે
ગઈકાલ બપોરથી જ વીજળી ભૂલ થઈ જવા પામી હતી જ્યારે રાણીગામ ચોકડી સહિતના વિસ્તારોમાં
માથોડા સમા પાણી ભરાવાના કારણે રસ્તાઓ વેરવિખેર થવા પામ્યા હતા. ચોકડી પાસે આવેલી નાના-મોટા
ધંધાર્થીઓની કેબીનો, શેડ, અને ટેબલ બાંકડાઓ બધું તણાઈ જવા પામ્યું હતું.
પોરબંદર:
જિલ્લામાં 24 કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રાણાવાવ અને કુતિયાણામાં પણ વરસાદ
વરસ્યો હોવાના વાવાડ મળી રહ્યા છે.
ફલ્લા:
ફલ્લા ખાતે ગત રાત્રે વિજળીના કડાકા ભડાકા સાથે દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો.
સુરેન્દ્રનગર:
જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જેમાં ચોટીલામાં
6, થાનગઢમાં 5 મૂડીમાં 7, વઢવાણમાં 2 ઈંચ વરસાદ
પડયો છે. તેમજ લીમડી અને પાટડી તાલુકામાં પણ વરસાદ પડયો છે. જિલ્લામાં પ્રથમ વરસાદે
જ વિવિધ નદી અને નાળાઓ છલકાઈ દીધા છે. પ્રથમ વરસાદના કારણે શહેરમાં અનેક સોસાયટીઓમાં
પાણી ભરાઈ ગયા છે તેમજ મેઇન રોડ ઉપર અને જગ્યાએ ભુવા પડયા છે તથા અંડરબ્રિજમાં પણ પાણી
ભરાઈ જતા ટ્રાફિક સમસ્યાઓ સર્જાઇ છે. પ્રથમ વરસાદમાં જ મહાનગરપાલિકાની પ્રી મોન્સુનની કામગીરી ખુલ્લી પડી ગઇ છે.
ભાવનગર:
સતત બીજા દિવસે જિલ્લામાં અડધાથી પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. ઉમરાળામાં પાંચ ઇંચ વલભીપુરમાં
પોણા ચાર ઇંચ, શિહોરમાં અઢી ઇંચ ભાવનગરમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. સમગ્ર જિલ્લામાં
વરસાદી માહોલને કારણે ગરમી ગાયબ થઈ ગઈ છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
બોટાદ:
જિલ્લામાં અને શહેરમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા જાણે ઓળઘોળ હોય તેમ મન મૂકીને જિલ્લામાં
અને તાલુકાઓમાં વરસી રહ્યા છે. ગઈકાલે પણ પાંચ ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો. જ્યારે
આજે આખો દિવસમાં સાડા પાંચ ઇંચ વરસાદને લઈ શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને
શહેરના ઘણા બધા રોડ રસ્તાઓ સંપર્ક વિહોણા બન્યા હતા. ભારે પાણીના પ્રવાહવાળા મુખ્ય
રસ્તાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આજે બોટાદમાં 138 મીમી, બરવાળા 178 મીમી,
ગઢડા 35 મીમી. રાણપુર 91 મીમી વરસાદ નોંધાયો હતો. બરવાળાના ખાંભડા ગામે ભારે વરસાદના
કારણે નદીમાં પૂર આવતા ગામ બેટમાં ફેરવાઇ ગયું હતું.
અમરેલી:
જિલ્લામાં ગઇકાલે પડેલા ભારે વરસાદ બાદ આજે બીજા દિવસે કેટલાંક વિસ્તારોને બાદ કરતાં
વિરામ લીધો હતો. જો કે જિલ્લાના બાબરા, અમરેલી અને બગસરામાં હળવા ઝાપટાં તથા લાઠી તથા
લીલીયામાં એક ઇંચ જેટલો દિવસ દરમિયાન વરસાદ નોંધાયો હતો.
ચોટીલા:
સતત બે દિવસથી બદલાયેલા હવામાન બાદ ચોટીલાનાં પંચાળ પંથકમાં સોમવારે સાંજે 6 વાગ્યાના
અરસામાં વિજળીના કડાકા ભડાકા બાદ નોન સ્ટોપ વરસાદ વરસતા મંગળવારનાં સાંજે 6 વાગ્યા
સુધીમાં 8.5 ઇચ કરતા વધુ વરસાદ વરસી ગયો છે. અવિરત મેઘસવારીને કારણે પંથકનાં નદી, નાળા
અને વોકળાઓમાં પાણીના પુર વહેતા થયા છે અને સક્રિય ચોમાસાની મજા લોકોએ લીધી હતી. ચોટીલાના
જલારામ મંદિર સામે આવેલા તળાવમાં વચ્ચે આવેલા મંદિરની ડેરીના પાળે અગમ્ય કારણોસર એક
વૃધ્ધ ફસાયા હતા. જે આખી રાત ડેરીના સહારે રહ્યો હતો વહેલી સવારે પાલિકાનાં કર્મી જુવાનાસિંહ
ઝાલાને ફસાયેલો જોવા મળતા તંત્રને જાણ કરતા મામલતદાર, ચીફ ઓફિસર સહિતનાં દોડી ગયા હતા
અને પાલિકા ફાયર ટીમનાં તરવૈયાઓએ બચાવી લીધા હતા.
સૌરાષ્ટ્રમાં
સૌથી મોટો ડેમ શેત્રંyજી પહેલા વરસાદમાં જ થયો ઓવરફ્લો
ભાવનગર
જિલ્લાના શેત્રંyજી ડેમના 59 દરવાજા 3 ફુટે ખોલી નખાયા : 29240 ક્યુસેક પાણીની આવક:
સૌરાષ્ટ્રના 22 ડેમમાં નવા નીર : સુરેન્દ્રનગરમાં ધોળી ધજા, નાયકા ડેમ ઓવરફ્લો : રંઘોળા
ડેમ પણ છલકાયો
પાલીતાણા,
રાજકોટ, તા. 17: સૌરાષ્ટ્રનો સૌથી મોટો
પાલીતાણાથી દસ કિ.મી. દૂર આવેલો સમગ્ર ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ
પહેલા વરસાદમાં જ મંગળવારે બપોરે 1-00 કલાકે ઓવરફ્લો થયો છે. ડેમના 59 દરવાજા 3 ફુટે
ખોલી નાખવામાં આવ્યા છે. હાલ ડેમમાં ર9240 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રર ડેમમાં નવા નીર આવ્યા છે. અમદાવાદમાં
ગઈકાલના વરસાદને લીધે સાબરમતી નદી છલોછલ થઈ હતી. વાસણા બેરેજના બે દરવાજા ખોલી ત્રણ
હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ચોમાસાના પ્રારંભે પહેલાં જ વરસાદે શેત્રુંજી
ડેમ જળાશયના ઉપરવાસમાં સતત વરસાદ તેમજ ઉપરવાસમાં ખોડીયાર ડેમમાંથી પાણીની ધીંગી આવક
ચાલુ રહેતા શેત્રુંજી ડેમ મંગળવારે બપોરના સમયે જ છલકાઈ ગયો છે. શેત્રુંજી ડેમના
59 દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવતા શેત્રુંજી નદી બે કાંઠે વહી રહી હતી. નોંધનીય છે
કે શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે.
રંઘોળા
: ઉમરાળા તાલુકાની રંઘોળા સિંચાઈ યોજનાનો રંઘોળા ડેમ ઓવરફ્લો થતાં ડેમના 14 ગેટ ઓટોમેટિક
ખુલવાથી રંઘોળી નદીમાં અને કાળુભાર નદીમાં ઘોડા પૂર આવ્યાં હતાં.
મચ્છુ
: મોરબીના જોધપર ગામ નજીક આવેલા મચ્છુ 2 ડેમની ઉપરવાસમાં પાણીની આવક ચાલુ છે અને મચ્છુ
2 ડેમ રીપેરીંગ કામગીરી ચાલુ હોવાથી ડેમનું ક્રેસ્ટ લેવલ જાળવવા માટે 3 ઇંચ ઓવરફલો
થઇ રહ્યો છે. જેથી કુલ 29 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ધોળીધજા,
નાયકા : સુરેન્દ્રનગર જિલ્લાના મુળી અને ચોટીલા તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે
નાયકા ડેમનાં 19 દરવાજા 8 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત ડેમમાંથી આશરે
54264 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ચુડાનો વાસલ ડેમ પણ 80 ટકા ભરાઈ ગયો છે.
સુરેન્દ્રનગર-વઢવાણ શહેરને પીવાનું પાણી પુરું પાડતો ધોળીધજા ડેમ પણ ઓવરફ્લો થયો છે.
ધ્રોકળ,
સોરઠી : બરડા પંથકમાં વ્યાપક વરસાદને કારણે અડવાણાના ધ્રોકળ ડેમ નજીક વોંકળામાં પાણીની
ચિક્કાર આવક થઈ હતી. સાથે સોરઠી ખાલી થઈ ગયો હતો તેમાં પણ નવા નીર આવ્યા હતા.
કૃષ્ણસાગર
: ભારે વરસાદને પગલે બોટાદનું કૃષ્ણસાગર તળાવ ઓવરફલો થતા નિવાસી અધિક કલેક્ટર પી એલ
ઝણકાતે તળાવની મુલાકાત લઈ જળ સપાટીની સમીક્ષા કરી હતી.