• બુધવાર, 18 જૂન, 2025

ભારત-ઇંગ્લેન્ડ શ્રેણીના વિજેતા કેપ્ટનનું પટૌડી મેડલથી સન્માન થશે : વિવાદનો અંત

લંડન, તા.17: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શુક્રવારથી શરૂ થતી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીના વિજેતા કેપ્ટનનું પટૌડી મેડલથી સન્માન થશે. આ જાહેરાત ઇંગ્લેન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આજે કરી છે. અગાઉ આ શ્રેણીનું નામ મન્સૂરઅલી ખાન પટૌડી ટ્રોફી હતું. જે બદલીને હવે તેંડુલકર-એન્ડરસન ટ્રોફી કરાયું છે. જેના પર સચિન તેંડુલકરે જ નારાજગી વ્યકત કરી હતી. આ પછી આઇસીસી ચેરમેન જય શાહની દરમિયાનગીરીથી વિવાદનો અંત આવ્યો છે. ભારત-ઇંગ્લેન્ડ શ્રેણીનું નવું નામ તેંડુલકર-એન્ડરસન ટ્રોફી રહેશે અને વિજેતા ટીમના કેપ્ટનનું પટૌડી મેડલથી સન્માન થશે. જેથી આ મહાન ક્રિકેટરનું નામ આ શ્રેણી સાથે કાયમ જોડાયેલું રહે.

ઇ-પેપરના નવા શુલ્ક