ત્રણ જિલ્લામાં આભ ફાટયું : ભાવનગર, અમરેલી અને બોટાદમાં અવિરત વરસાદથી અનેક વિસ્તાર જળબંબાકાર
નદી,
નાળા, ચેકડેમો, ડેમ છલકાયા : ખેડૂતોમાં ખુશીની લહેર
ગઢડામા
14, મૂળી 7, જોડિયા 6.5, ચોટીલા 6, બોટાદ 5.5, મોરબી-થાનગઢ-ઉમરાળા 5, ટંકારા-હળવદ
4 ઇંચ સહિત 33 જિલ્લાના 221 તાલુકામાં વરસાદ
આજે
બોટાદ અને ભાવનગરની શાળાઓ રહેશે બંધ
બોટાદ-અમરેલી
જિલ્લામાં ત્રણ કાર તણાઈ : બેના મૃત્યુ : પાંચ લાપતા
12,953
ગામમાં વીજળીને અસર થઈ, હજુ 241 ગામમાં અંધારપટ
નીચાણવાળા
વિસ્તારોમાંથી કુલ 259નું સ્થળાંતર, 139 લોકોનું રેસ્ક્યૂ
10
સ્ટેટ હાઈવે, 1 નેશનલ હાઈવે, પંચાયતના 95 સહિત 134 રસ્તા બંધ
12
જિલ્લામાં ગઉછની 12 ટીમો, 20 જિલ્લાઓમાં જઉછની ટીમો તૈનાત
રાજકોટ,
તા.17: ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો હોય તેમ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં
વરસાદ વરસ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બોણીમાં જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ
છે અને પ્રથમ વરસાદમાં જ વાવાણીલાયક વરસાક વરસાત જગતાત પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા
છે. ખાસ કરીને ભાવનગર, બોટાદ અને અમરેલીમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસતા વરસાદના કારણે
અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. બોટાદના ગઢડામાં એક રાતમાં
જ 14 ઇંચ જેટલો વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. તો સોમવારે ભાવનગરના પાલિતાણા,
સિહોર સહિતના વિસ્તારમાં 10 ઇંચ જેટલા વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
છે. આવા વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરવા એનડીઆરએફની ટીમની મદદ પણ લેવામાં
આવી છે. આજે ફરી રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી સહિતના
જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. ભારે વરસદાના કારણે નદી-નાળા છલકાતા અનેક જગ્યાએ રસ્તાઓ
ધોવાઇ ગયા છે. જેના કારણે અનેક ગામમાં પ્રવેશમાં મુશકેલી પડી રહી છે. ભારે પવન અને
વીજળી પડવાથી અનેક વિસ્તારમાં વિજ પુરવઠો ખોરવાતા અંધારપટ્ટ જોવા મળી રહ્યો છે.
ગઢડા(સ્વામી)
પંથકમાં ચોમાસાની સમયસર સારી શરૂઆત થતા સમગ્ર પંથકમાં સતત શરૂ રહેલા વરસાદના પગલે જળબંબાકાર
જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. આ વરસાદના કારણે મોટાભાગના ડેમ તેમજ નદીનાળાં છલકાઈ જતા
સીઝનના પ્રથમ વરસાદે 2007 પછી અઢાર વર્ષો બાદ રેકોર્ડ સર્જ્યો હતો. ગત સાંજથી રાત્રિ
દરમિયાન સતત વરસાદ શરૂ રહ્યો હતો. ગઢડા શહેરમા ગત સાંજથી સવાર સુધીમાં સરકારી માહિતી
મુજબ 13 ઈંચ (389 મીમી) વરસાદ નોંધાયો હતો.
ભાવનગર
જિલ્લામાં સતત બીજા દિવસે જિલ્લામાં અડધાથી પાંચ ઇંચ વરસાદ પડયો છે. ઉમરાળામાં પાંચ
ઇંચ વલભીપુરમાં પોણા ચાર ઇંચ, શિહોરમાં અઢી ઇંચ ભાવનગરમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે. ઉમરાળામાં
તા.16 જૂનથી શરૂ થયેલ વરસાદ આજે બીજા દિવસે પણ ચાલુ રહ્યો હતો અને આજે સાંજે ચાર વાગે
પૂરા થતા 24 કલાકમાં 386 મીમી(15.44 ઇંચ)વરસાદ વરસ્યો હતો.
મોરબી
જિલ્લામાં મેઘરાજાએ ગતરાત્રીથી વરસવાનું શરૂ કર્યું હતું. જેમાં મોરબીમાં 5, ટંકારા-હળવદ
4, વાંકાનેર 2.5, માળિયા મિંયાણા 2 ઇંચ વરસાદ પડયો હતો. પહેલા જ ધમાકેદાર વરસાદના કારણે
નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. તો જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની
મહેર થઈ છે. જોડિયામાં મેઘરાજાએ સટાસટી બોલાવતા સાડા છ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે.જામનગર
શહેર તથા જામજોધપુરમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. ધ્રોલમાં પોણા બે, કાલાવડમાં દોઢ અને
લાલપુરમાં સવા ઈંચ પાણી પડયું છે. પોરબંદર જિલ્લામાં 24 કલાકમાં બે ઇંચ જેટલો વરસાદદ
વરસ્યો હતો.
સુરેન્દ્રનગર
જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જેમાં ચોટીલામાં
6, થાનગઢમાં 5 મૂડીમાં 7, વઢવાણમાં 2 ઈંચ વરસાદ
પડયો છે. ધોધમારા વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા.
સૌરાષ્ટ્રભરના
જિલ્લાઓમાં ભારે વરસાદથી નદી-નાળાઓ બે કાંઠે વહેતા થતા અલગ-અલગ ત્રણ સ્થળે કાર તણાઈ
જવાના બનાવોમાં બેના મૃત્યુ અને પાંચ લાપતા, પાંચનો બચાવ થયો છે. અત્યાર સુધીમાં બોટાદમાં
40, અમરેલીમાં 80 મળીને કુલ 120 જણાનું સ્થળાંતર કરાયું છે અને પાણીમાં ફસાયા હોય એવા
109 જણાને બચાવી લેવાયા છે. ભારે વરસાદને કારણે 12,953 ગામમાં વીજળીને અસર થઈ હતી.
જેને તાકીદના ધોરણે રિપેર કરાયા હતા. હાલની સ્થિતિએ 241 ગામોમાં અંધારપટ છે. 10 જેટેલા
સ્ટેટ હાઈવે, 1 નેશનલ હાઈને, પંચાયતના 95 અને અન્ય 28 મળીને કુલ 134 જેટલા રસ્તા હાલ
બંધ કરાયા છે.
દરમિયાનમાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના જનજીવનને થયેલી અસરની સ્થિતિની
માહિતી મેળવવા સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. તેઓ 17મીના
મંગળવારે મોડી સાંજે ગાંધીનગરમાં સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. જ્યાં
તેમણે રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો, પોલીસ, હવામાન વિભાગ, એન.ડી.આર.એફ., કોસ્ટ ગાર્ડના
અધિકારીઓ સાથે બેઠક યોજીને તંત્રની સતર્કતા-સજ્જતાની સમીક્ષા કરી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્ર
વિસ્તારમાં નદીઓમાં પૂર આવવાને પરિણામે નાના પૂલો, નાળા, કોઝવે પરથી ભયજનક રીતે વહેતા
પાણીમાં કોઈ વાહન કે વ્યક્તિ ન જાય તેની તકેદારી રાખવાની તેમણે સૂચનાઓ આપી હતી. આવા
સ્થળોએ ચેતવણી સૂચક બોર્ડ અને જરૂર જણાયે પોલીસ બંદોબસ્ત ગોઠવવાના નિર્દેશો પણ મુખ્યમંત્રી
આપ્યા હતા. વરસાદી સ્થિતિમાં નાગરિકોને સલામત સ્થળે ખસેડવા અને આપત્તિના સમયે નાગરિકોના
બચાવ માટે એનડીઆરએફની 12 ટીમ 12 જિલ્લામાં ડિપ્લોય કરવામાં આવી છે. રાજ્યના 20 જિલ્લામાં
એસડીઆરએફની ટીમો પણ ડિપ્લોય કરવામાં આવી છે.
તેમજ
ભારે વરસદાના કારણે સૌરાષ્ટ્રનો સૌથી મોટો પાલિતાણાથી દસ કિ.મી. દૂર આવેલો સમગ્ર ભાવનગર
જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ પહેલા વરસાદમાં જ મંગળવારે બપોરે 1-00 કલાકે
ઓવરફ્લો થયો છે. ડેમના 59 દરવાજા 3 ફૂટે ખોલી નાખવામાં આવ્યા છે. હાલ ડેમમાં ર9240
ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રર ડેમમાં નવા નીર આવ્યા છે.