• મંગળવાર, 28 જુલાઈ, 2026

નાઈજીરિયામાં કત્લેઆમ ઃ 30નાં મૃત્યુ

ઉગ્રવાદી જૂથો વચ્ચેની હિંસામાં હત્યાકાંડ સર્જાયાની આશંકા

નવીદિલ્હી, તા.27 નાઇજીરિયાના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ફરી એક વખત મોટાપાયે સંહાર થયો છે. કડુના રાજ્યના કૌરા કાઉન્સિલ વિસ્તારના નારિડોન ગામમાં રવિવારે મોડી રાત્રે બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો. હુમલામાં ઓછામાં ઓછા 30 લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે અનેક અન્ય લોકો ઘાયલ થયા છે. હુમલા બાદ સમગ્ર ગામમાં ભય અને ગભરાટનો માહોલ છે. ઘટનાએ નાઇજીરિયામાં સુરક્ષા વ્યવસ્થા અને સતત વધી રહેલી હિંસા અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

હુમલા બાદ કોઈપણ સંગઠને તેની જવાબદારી સ્વીકારી નથી. તેથી હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી કે હુમલો કોણે કર્યો હતો. જોકે, નાઇજીરિયાના ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-મધ્ય વિસ્તારોમાં સક્રિય સશસ્ત્ર ગેંગો વારંવાર આવા હુમલાઓ અને ખંડણી માટે અપહરણ જેવી ઘટનાઓને અંજામ આપતા રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ગેંગોમાં મોટાભાગે એવા પૂર્વ પશુપાલકો સામેલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રામોલ ફટાકડા બ્લાસ્ટ કેસના ત્રણેય આરોપી જેલ હવાલે ગેરકાયદે ધમધમતા કારખાનામાં બ્લાસ્ટ થતા 10 લોકોનાં થયા હતા મૃત્યુ July 28, Tue, 2026