• શુક્રવાર, 05 સપ્ટેમ્બર, 2025

રાજદીપાસિંહની આગોતરા જામીન અરજીનો ચુકાદો અનામત

ગોંડલ સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવ્યા બાદ હાઇકોર્ટના દ્વાર ખટખટાવવામાં આવ્યા હતા 

રાજકોટ, તા.2: રીબડાના બહુ ચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં રીબડાના જ અનિરુદ્ધાસિંહ જાડેજા અને તેમના દીકરા રાજદીપાસિંહ જાડેજાનું નામ સામે આવ્યું હતું. જેમાં પોલીસ ફરિયાદ નોંધાતા બંને પિતા-પુત્રએ આગોતરા જામીન અરજી કરી હતી. આ કેસમાં રાજદીપાસિંહની આગોતરા જામીન અરજી ગોંડલ સેશન્સ કોર્ટે ફગાવ્યા બાદ ગુજરાત હાઇકોર્ટમાં કરાઈ હતી. જેની સુનાવણી થઈ ગઈ છે અને ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. આ સુનાવણીમાં ફરિયાદી એટલે અમિત ખૂંટના ભાઈના વકીલ, સરકારી વકીલ તથા અરજદાર એટલે કે રાજદીપાસિંહના વકીલે કોર્ટ સમક્ષ દલીલો કરી હતી.

આત્મહત્યા બાદ 4 સામે ફરિયાદ નોંધાઈ હતી 

3 મેના રોજ રાજકોટમાં મોડાલિંગક્ષેત્રે કાર્યરત સગીરાએ અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ 5 મેના રોજ અમિત ખૂંટે ગોંડલના રીબડામાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ કેસમાં રાજદિપાસિંહ જાડેજા અને તેના પિતા અનિરુદ્ધાસિંહ તથા અન્ય બે લોકો સામે અમિત ખૂંટના ભાઈ મનીષ ખૂંટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક