-એર ઈન્ડિયાના ક્રેશ થયેલા વિમાનમાં ભાવનગરના ત્રણ યાત્રીના મૃત્યુથી શોક
ભાવનગર,
તા. 12: અમદાવાદથી લંડન જતું એર ઈન્ડિયાનું બોઈંગ વિમાન આજે બપોરે મેઘાણી નગર પાસે
ક્રેશ થયું હતું. જેમાં 230 મુસાફર, ર પાયલોટ તેમજ 10 ક્રુ મેમ્બર સહિત 242 લોકો સવાર
હતા. જેમાં ભાવનગરના ત્રણ યાત્રિકો પણ સામેલ હતા.
ભાવનગરના
સોની પ્રેમજી વશરામ પરિવારના દીકરી યોગાબેન અને જમાઈ સ્વપ્નિલકુમાર સુરેન્દ્રભાઈ સોની
તેમજ દીકરી યોગાબેનના જેઠાણી અલ્પાબેન આ વિમાનમાં યાત્રા કરી રહ્યા હતા. પ્રાથમિક માહિતી
અનુસાર આ ત્રણેયના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયાનું જાણવા મળતા ભાવનગર સ્થિત પરિવારજનો
શોકમાં ગરકાવ થઈ ગયા છે.