મચ્છીના
વેપારીએ ઝેરી દવા પીધી, પોલીસ સામે આક્ષેપો લગાવ્યા
વેરાવળ,
તા.11: વેરાવળના ઋઈંઉઈ વિસ્તારમાં મચ્છીનો વેપાર કરતા કસીમ મહમદ ગોહેલે ગત તા. 10 જૂનના
સાંજે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના પાછળનું કારણ પોલીસ દ્વારા કરવામાં આવેલો કથિત
ત્રાસ હોવાનું સામે આવ્યું છે. કસીમે તેની સ્યુસાઇડ નોટમાં શિવ પોલીસ ચોકીના કર્મચારીઓ
પર ગંભીર આરોપો લગાવ્યા છે.
પોલીસે
મારમાર્યાનો કસીમનો આરોપ આ મામલો નાણાંકીય લેવડ-દેવડ સાથે જોડાયેલો છે. કસીમ વિરુદ્ધ
ભીડીયાના રાહુલ બમભણીયાએ લેણી રકમ મામલે પોલીસમાં અરજી કરી હતી. ત્યાર બાદ પોલીસે તેને
ચોકી પર બોલાવીને મારમાર્યાનો કસીમનો આરોપ છે. સ્થાનિક આગેવાનોની મધ્યસ્થી બાદ તેને
પોલીસ ચોકીમાંથી છોડવામાં આવ્યો હતો.
ઝેરી
દવા ગટગટાવતા કસીમની હાલત ગંભીર હોવાથી પ્રથમ સરકારી હોસ્પિટલમાં અને પછી ખાનગી હોસ્પિટલમાં
ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે એકત્રિત થયા
છે. મામલતદાર દ્વારા યુવકનું મરણોત્તર નિવેદન નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
કસીમના ભાઈએ પણ પોલીસ પર ગંભીર આરોપો મૂક્યા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી
છે.