• શનિવાર, 14 જૂન, 2025

જામનગરના ડોક્ટર કેયુર બક્ષીના બેન-બનેવીનું અવસાન

ક્ષ          ત્રણ વર્ષ અગાઉ પુત્ર હિતનું પણ પ્લેન ટ્રાનિંગ દરમિયાન અવસાન થયું હતું

જામનગર તા.12: જામનગરની ડીકેવી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રોફેસર તરીકે વર્ષો પહેલા ફરજ બજાવતા અને તેમના સ્ટુડન્ટ સાથે બાદમાં લગ્ન કરી યુકેમાં સ્થાઈ થયેલા શૈલેષ ગાવિંદભાઈ પરમાર ઉંમર 60 વર્ષ અને તેમના પત્ની નેહલ બક્ષી પરમારનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું છે.

આ અંગે નેહલના પિતરાઈ ભાઈ જાણીતા ડોક્ટર કેયુર બક્ષીએ જણાવ્યા અનુસાર નેહલ તેમના કાકા હરિહર ભાઈની દીકરી હતી અને શૈલેષભાઈ જામનગરની ડીકેવી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં ફિઝિક્સના પ્રોફેસર હતા. (તેઓ મૂળ ઘ્રોલના વતની હતા, ત્યારબાદ જામનગર આવ્યા અને બાદમાં લંડન સ્થાઇ થયા હતા)  નેહલબેન પણ ડિકેવી કોલેજમાં અભ્યાસ કરતા હતા. બાદમાં બન્નેએ લગ્ન કર્યા હતા અને યુકે સ્થાઈ થયા હતા. તેમના પરિવારમાં એક પુત્ર હિત હતો, જેને તેની ઈચ્છા અનુસાર પાઇલોટ બનવું હોય સ્પેન ખાતે ભણવા મોકલ્યો અને પ્રોફેશનલપાઇલોટનું લાઇસન્સ પણ મળી ગયું હતું. દરમિયાન સ્પેનમાં અંતિમ ટ્રાનિંગ દરમિયાન પ્લેન ક્રેશ થતા તેનું મૃત્યું નીપજ્યું હતું. જો કે શૈલેષભાઇ અને નેહલ બન્ને યુકેમાં પ્રોફેસર હતા તે દરમિયાન હરિહરભાઇની બીમારી સબબ સારવાર ચાલતી હોય બન્ને તેમને જોવા માટે  આવ્યા હતા અને પરત યુકે જઈ રહ્યા હતા જ્યારે આજે આ પ્લેન ક્રેશ ઘટનાએ તેમનો ભોગ લીધો છે આમ સંતાન પછી માબાપ પણ પ્લેન ક્રેશના ભોગ બન્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક