• શનિવાર, 14 જૂન, 2025

અમીત ખુંટ આપઘાત પ્રકરણમાં ગોંડલ કોર્ટમાં જયરાજસિંહ સહિત 28 સામે સગીરાની ફરિયાદ

જયરાજસિંહના માણસો સત્ય જણાવવા દેતા ન હોવાનો આરોપી સગીરાનો આક્ષેપ

ગોંડલ, તા.1ર: ચકચારી અમિત ખુંટ આપઘાત પ્રકરણની આરોપીએ રાજકોટ કોર્ટમાં જયરાજસિંહ તથા પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ કર્યા બાદ આજે ગોંડલની જ્યુડી.મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં જયરાજસિંહ, ગણેશ, ડીસીપી બાંગરવા, ડીવાયએસપી કે.જી.ઝાલા, પીઆઈ એ.ડી.પરમાર ઉપરાંત જયરાજસિંહના માણસો દિગપાલભાઈ, જેકીભાઈ, મહિપતસિંહ, હેમભા સહિત ર8 વ્યક્તિ સામે ફરિયાદ કરી છે.

સગીરાએ ફરિયાદમાં કહ્યું કે, મને જયરાજસિંહના માણસો સત્ય હકીકત જણાવવા દેતા ના હતા અને તે લોકો કહે તે નામ લખાવવા દબાણ કરતા હતા. હું અગાઉ કહેતી હતી કે આ લોકો મારા ઘર સુધી પહોંચી જશે. મારા પિતાને દબાણ કરી વીડિયો બનાવવા મજબુર કરાયા હતા. આ ષડયંત્રમાં મારા ગામના સરપંચ પણ સામેલ છે. તેવો આક્ષેપ સગીરાએ કર્યો હતો. સગીરાના વકીલ ભૂમિકા પટેલે કહ્યું કે, સગીરાને ગોંડલની શ્રી હોટલમાં બે દિવસ ગોંધી રખાઈ હતી. અમે શ્રી હોટલ, ડીવાયએસપી તથા તાલુકા પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજની માગ કરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક