મેલબોર્ન,
તા.1પ: ભારત સામેની લિમિટેડ ઓવર્સની સિરીઝની તૈયારીમાં ઓસ્ટ્રેલિયા ટીમ વ્યસ્ત છે.
આ સિરીઝમાં 3 વન ડે અને પ ટી-20 મેચ રમવાના છે. જેની શરૂઆત 19 ઓક્ટોબરથી પ્રથમ વન ડેથી
થશે. આ શ્રેણી એટલા માટે મહત્ત્વની છે કે ભારતના બે દિગ્ગજ રોહિત શર્મા અને વિરાટ કોહલી
મેદાનમાં જોવા મળશે.
ઓસ્ટ્રેલિયાના
કપ્તાન અને આ શ્રેણીમાં ઇજાને લીધે બહાર રહેનાર પેટ કમિન્સનું માનવું છે કે રોહિત શર્મા
અને વિરાટ કોહલીનો આ આખરી ઓસ્ટ્રેલિયા પ્રવાસ બની રહેશે. તેણે એક મુલાકાતમાં જણાવ્યું કે વિરાટ-રોહિત પાછલા
1પ વર્ષથી લગભગ દરેક ભારતીય ટીમના હિસ્સા રહ્યા છે. તેમને રમતા જોવાનો ઓસ્ટ્રેલિયાના
દર્શકો માટે આ આખરી મોકો હશે. તેઓ ભારત માટે નિશ્ચિતરૂપે ચેમ્પિયન ખેલાડી છે.
ભારત
સામેની વન ડે શ્રેણી ગુમાવવા પર કમિન્સે કહ્યંy હું ઘણો નિરાશ છું. ભારત સામે ભરચક
સ્ટેડિયમમાં રમવાનો મોકો ગુમાવીશ.