• સોમવાર, 27 ઑક્ટોબર, 2025

“અમેરિકાના નિયંત્રણમાં હતા પાકિસ્તાનના પરમાણુ શત્રો’’

અમે પાકિસ્તાનને લાખો ડોલરની સહાય પૂરી પાડી હતી, અમે અઠવાડિયામાં ઘણી વખત મુશર્રફને મળતા હતા : જોન કિરિયાકોઉ

વોશિંગ્ટન, તા.25 : ભૂતપૂર્વ યુએસ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી અધિકારી જોન કિરિયાકોઉએ પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ વિશે એક મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યે છે. તેમણે દાવો કર્યે છે કે મુશર્રફે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોની ચાવીઓ યુનાઇટેડ સ્ટેટ્સને સોંપી હતી. તેમણે જણાવ્યું હતું કે તે સમયે અમેરિકાએ પાકિસ્તાનને લાખો ડોલર પૂરા પાડયા હતા. સમાચાર એજન્સી સાથેની એક મુલાકાતમાં, ભૂતપૂર્વ ઈઈંઅ અધિકારીએ કહ્યું, ‘જ્યારે હું 2002મા પાકિસ્તાનમાં પોસ્ટેડ હતો, ત્યારે મને અનૌપચારિક રીતે કહેવામાં આવ્યું હતું કે પેન્ટાગોન પાકિસ્તાની પરમાણુ શસ્ત્રોનું નિયંત્રણ કરે છે. પરવેઝ મુશર્રફે યુનાઇટેડ સ્ટેટ્સને નિયંત્રણ સોંપ્યું કારણ કે તેમને પણ ડર હતો કે પરમાણુ શસ્ત્રો આતંકવાદીઓના હાથમાં આવી શકે છે.’ ભૂતપૂર્વ CIA અધિકારી જોન કિરિયાકોઉએ ખુલાસો કર્યે કે 2001ના સંસદ હુમલા અને 2008ના મુંબઈ આતંકવાદી હુમલા પછી યુનાઇટેડ સ્ટેટ્સ ભારતથી બદલો લેવાની અપેક્ષા રાખતું હતું, પરંતુ એવું થયું નહીં. તેમણે કહ્યું, ‘CIA ખાતે, અમે ભારતની આ નીતિને વ્યૂહાત્મક ધીરજ કહી હતી. ભારત સરકારને પાકિસ્તાન પર હુમલો કરીને બદલો લેવાનો સંપૂર્ણ અધિકાર હતો, પરંતુ તેમણે તેમ ન કર્યું. વ્હાઇટ હાઉસના લોકો કહી રહ્યા હતા કે ભારત ખરેખર ખૂબ જ પરિપક્વ વિદેશ નીતિનું પ્રદર્શન કરી રહ્યું છે.’ તેમણે દાવો કર્યે, ‘અમને અપેક્ષા હતી કે ભારત બદલો લેશે, પરંતુ તેમણે તેમ ન કર્યું, અને આ કારણે, વિશ્વ પરમાણુ હુમલાથી બચી ગયું.

 

ઇ-પેપરના નવા શુલ્ક