ગુજરાત એટીએસે ગોવાથી સેનાના નિવૃત્ત સુબેદાર અને દમણથી મહિલાની ધરપકડ કરી
અમદાવાદ,
તા. 4 : ગુજરાત એન્ટિટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)એ
ટેકનિકલ અને ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સના આધારે પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સી (પીઆઇઓ)
દ્વારા સંચાલિત એક મોટા દેશ વિરોધી જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરાયો છે. આ ઓપરેશનમાં
ગુજરાત એટીએસે ગોવામાંથી એક નિવૃત્ત આર્મી સુબેદાર અજયકુમાર સુરેન્દ્રાસિંહ અને દમણમાંથી
એક મહિલા એજન્ટ રાશમની રવીન્દ્ર પાલની ધરપકડ કરી છે.
તપાસમાં
સામે આવ્યું છે કે, પીઆઇઓ હેન્ડલરો સોશિયલ મીડિયા પર ખોટી ઓળખનો ઉપયોગ કરીને ભારતીય
સુરક્ષા દળોના જવાનોને ફસાવતા હતા. પીઆઇઓએ
અંકિતા શર્માનાં ખોટાં નામ હેઠળ નિવૃત્ત આર્મી સુબેદાર અજયકુમારાસિંહ સાથે 2022માં
તેમનો દીમાપુર પોસ્ટિંગ દરમિયાન સંપર્ક કર્યો હતો. અજયકુમારે પીઆઇઓને આર્મીના યુનિટ,
પોસ્ટિંગ, મૂવમેન્ટ, અધિકારીઓની બદલીઓ વગેરે
જેવી સંવેદનશીલ માહિતી નાણાકીય લાભના બદલામાં શેર કરી હતી.
પીઆઇઓએ
અજયકુમારના મોબાઇલમાં ટ્રોઝન માલવેર ફાઇલ પણ મોકલી હતી. આ માલવેર ઇન્સ્ટોલ થવાથી પીઆઇઓ
હેન્ડલરો વોટ્સએપ વગર પણ તેના ડેટાનો સીધો એક્સેસ મેળવી શકે તેમ હતા.
દમણ
ખાતે રહેતી રાશમની રવીન્દ્ર પાલ આ નેટવર્કમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતી હતી. તે પાકિસ્તાની
હેન્ડલરો અબ્દુલ સત્તાર અને ખાલીદ માટે એક મહત્ત્વપૂર્ણ માધ્યમ તરીકે કામ કરતી હતી.
નાણાકીય લાભના બદલામાં, રાશમનીને ‘િપ્રયા ઠાકુર’ નામની ખોટી ઓળખ બનાવીને ભારતીય આર્મીના
જવાનો સાથે મિત્રતા કરવા અને ગુપ્ત માહિતી મેળવવાની સૂચના આપવામાં આવી હતી. હેન્ડલરોએ
રાશમનીને આર્મીની અમુક યુનિટ્સના યુદ્ધ અભ્યાસ અને મૂવમેન્ટ અંગે ખાસ તપાસ કરવા જણાવ્યું
હતું.
તપાસમાં
આરોપીઓના મોબાઈલમાંથી આંતરરાષ્ટ્રીય નંબરોથી વોટ્સએપ કોલ અને નાણાકીય વ્યવહારોની વિગતો
મળી આવી છે. ઈંઙ એડ્રેસની ચકાસણીમાં મોટો ઘટસ્ફોટ થયો છે કે, આ જાસૂસી નેટવર્કના મુખ્ય
હેન્ડલરો પાકિસ્તાનથી (મુલ્તાન, સરગોધા અને લાહોર) ઓપરેટ કરતા હતા.
ઉલ્લેખનીય
છે કે, ગુજરાત એટીએસની ટીમે અન્ય રાજ્યની એજન્સીઓની મદદથી 3-12-2025ના આ બંને આરોપી
સામે કલમ 61 અને 148 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાવતરાંમાં
સંડોવાયેલા અન્ય ઇસમો સામે પણ વધુ તપાસ ચાલુ છે.