• શુક્રવાર, 05 ડિસેમ્બર, 2025

5000 આત્મઘાતી મહિલા જેહાદીની ભરતી

આતંકી મસૂદ અઝહરના ખતરનાક ઈરાદાનો ખુલાસો

ઈસ્લામાબાદ, તા.4 : આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના નેતાએ તાજેતરમાં જૈશની મહિલા પાંખ વિશે રહસ્યો ખોલ્યા છે. મસૂદ અઝહરે દાવો કર્યો છે કે આ મહિલા પાંખમાં અત્યાર સુધીમાં 5000 મહિલાની ભરતી કરવામાં આવી છે. આ મહિલાઓને આત્મઘાતી મિશન માટે તાલીમ આપવામાં આવી રહી છે.

અગાઉ આતંકવાદી મસૂદ અઝહરે ઓક્ટોબરમાં જૈશની મહિલા બ્રિગેડ, જમાત-ઉલ-મોમિનતની રચનાની જાહેરાત કરી હતી. અહેવાલો અનુસાર, મસૂદ અઝહરની બહેન, સઈદા, આ ઓપરેશનની ઇન્ચાર્જ છે. મસૂદ અઝહરે તાજેતરમાં એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ખુલાસો કર્યો હતો કે જમાત-ઉલ-મોમિનતનો પ્રભાવ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં 5000થી વધુ મહિલાઓ જૂથમાં જોડાઈ છે. ભરતી અને તાલીમને સરળ બનાવવા માટે આ જૂથ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરના ઘણા જિલ્લાઓમાં વિસ્તરણ કરી રહ્યું છે.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક