• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

120 ટકાની તૈયારી સાથે મેદાનમાં ઉતરું છું : કોહલી

મારૂં ક્રિકેટ હંમેશાં માનસિક : શાર્પ છું એટલે બોલર્સ-ફિલ્ડર્સના મન પારખી લઉ છું

રાંચી, તા.1: દ. આફ્રિકા સામે પ્રથમ વન ડેમાં 17 રનની જીત અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપનાર સ્ટાર બેટર વિરાટ કોહલીએ કહ્યંy કે કોઇ પણ મેચમાં હું 120 ટકાની તૈયારી સાથે મેદાનમાં ઉતરું છું. 17 વર્ષની પોતાની ઇન્ટરનેશનલ કેરિયર દરમિયાન 300થી વધુ વન ડે અને 220થી વધુ અન્ય ફોર્મેટના મેચ રમનાર કોહલી પહેલા વન ડેની તૈયાર માટે ઘણો વહેલો રાંચી પહોંચી ગયો હતો. અનુભવી હોછા છતાં હાલત સમજવા માટે વધુ બેટિંગ અભ્યાસ કર્યો હતો. જેનું તેને પરિણામ મળ્યું હતું અને બાવનમી સદી ફટકારી હતી.

વન ડે ફોર્મેટમાં રેકોર્ડ 44મી વખત પ્લેયર ઓફ ધ મેચ બનનાર કોહલીએ કહ્યંy કે પહેલા પણ હું કહી ચૂક્યો છું કે મેદાનમાં હું 120 ટકાની તૈયારી સાથે જ ઉતરુ છું. દિવસમાં બે બેટિંગ સત્ર અને સાંજે એક. આથી મારી તૈયારી પૂરી થઇ જાય છે. મેચના એક દિવસ પહેલા વિશ્રામ લીધો. કારણ કે 37 વર્ષનો છું. રીકવરી જરૂરી છે. મેચને હું મારા મગજમાં વિજુલાઈજ કરું છું. મને લાગે છે કે હું એટલો શાર્પ છું કે ફિલ્ડર્સ અને બોલર્સને ચુનૌતિ આપી શકું છું.

પોતાની શતકીય ઇનિંગ વિશે કોહલીએ કહ્યંy કે પિચ 20-2પ ઓવર સુધી સારી હતી. પછી ધીમી પડી. મેં સેટ થયા પછી બોલને હિટ કરવાની યોજના બનાવી હતી. આપ જયારે 300 આજુબાજુ વન ડે મેચ રમી ચૂક્યા છો અને 1પ-17 વર્ષને કેરિયર છે તો બસ જરૂરી એ છે કે આપ રમતનો આનંદ ઉઠાવો અને તેની સાથે જોડાયેલા રહો. હું બહુ તૈયારીમાં માનતો નથી. મારું ક્રિકેટ હંમેશાં માનસિક રહ્યું છે. માનસિક અને શારિરીક રીતે ફિટ રહેવા રોજ મહેનત કરું છું. મગજમાં રમત સાફ દેખાઇ એટલે સારી શરૂઆત પછી આપોઆપ રન નીકળે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક