• રવિવાર, 28 એપ્રિલ, 2024

જામનગરમાં વકીલ હારૂન પલેજાની હત્યામાં વધુ પાંચ આરોપી ઝડપાયા

ખાસ તપાસ ટીમની રચના બાદ સાયચા ગેંગનાં સાગરીતોની એક બાદ એક ધરપકડ 

જામનગર, તા.26 : જામનગરના બેડીમાં ગત તા.13ના એડવોકેટ હારૂન પલેજાની હત્યા નીપજાવવામાં આવી હતી. જેમાં કુખ્યાત સાયચા ગેંગના 15 શખસ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. જે ગુનાના આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ડીવાયએસપી જે.એન. ઝાલાનાં વડપણ હેઠળની તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી.

આ દરમિયાન આ ગેંગના બશીર જુસબ સાયચા નામના એક આરોપીને પોલીસ દ્વારા એક આરોપીને પોલીસ દ્વારા ઝડપી લઈ સાત દિવસના રિમાન્ડ પર લેવાયો હતો. જેની ઉંડાણપૂર્વકની પૂછપરછના આધારે તપાસની પોલીસ ટુકડીએ સાયચા ગેંગના વધુ બીજા આરોપી સિકંદરની અટકાયત કરી લઈ તેને પણ સાત દિવસના રિમાન્ડ પર લેવાયો છે. ત્યારબાદ હત્યા પ્રકરણના ત્રીજા આરોપી દિલાવર હુશેન કક્કલની ધરપકડ કરી લીધી છે. જેને પણ 7 દિવસના રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન આ પ્રકરણમાં વધુ પાંચ આરોપી સુલેમાન હુશેન કકકલ ઉપરાંત અન્ય બે સગીર તેમજ ઈમરાન નુરમામદ સાયચા અને રમઝાન સલીમ સાયચાની ધરપકડ કરાતા અત્યાર સુધીમાં કુલ આંક આઠ ઉપર પહોંચ્યો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક