• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

પૂર્વ કૃષિ મંત્રી અને બિલ્ડરને બદનામ કરનાર વિશાલ કણસાગરા અને તેના સાગરીત જેલમાં

જામનગર, તા. ર1 : જામનગરના અગ્રણી બિલ્ડર જમનભાઈ ફળદુ અને તેમના પુત્રને સોશિયલ મીડિયામાં બદનામ કરવાનું કાવતરું રચવા અંગે બે આઇડી ધારકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય રાઘવજી પટેલે પણ સાયબર ક્રાઇમ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો અને પોતાને સોશિયલ મીડિયાનાં માધ્યમથી બદનામ કરનાર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની આઇડીના ધારક સામે ફરિયાદ નોંધાવી હતી.

આ ઉપરાંત જામનગરના અન્ય એક બિલ્ડર સ્મિત પરમારે પણ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં વિશાલ કણસાગરા નામની આઇડીના ધારક સામે પોતાની પાસે ખંડણી માંગવા સંદર્ભે અને સોશિયલ મીડિયામાં બદનામ કરવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

 દરમિયાન સાઇબર ક્રાઇમ પોલીસે આ પ્રકરણમાં સૌ પ્રથમ હેમતલાલ કણસાગરા અને પુરુષોત્તમ પરમાર નામના બે જામનગરના આરોપીઓની અટકાયત કરી લીધી હતી. જે બન્નેને રિમાન્ડ પર લીધા બાદ હાલ બન્નેને જેલ હવાલે કરી દેવાયા હતા જ્યારે આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરા કે જે અગાઉ પકડાયેલા આરોપી પોતાના પિતા હેમતલાલ કણસાગરાને જામીન પર છોડાવવા માટે ભારતમાં આવીને જામનગર પહોંચ્યો હતો. તે દરમિયાન જામનગર સાઇબર પોલીસ સ્ટેશનની ટીમે તેનું લોકેશન શોધીને ઝડપી લીધો હતો, જેને અદાલત સમક્ષ રજૂ કરી આઠ દિવસના રિમાન્ડ પર લીધો હતો. બન્નેની રિમાન્ડની મુદત પૂરી થતાં ફરીથી અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરા અને તેના સાગરીત બન્નેને જેલ હવાલે કરી દેવાયા છે.

ઇ-પેપરના નવા શુલ્ક