• શનિવાર, 27 એપ્રિલ, 2024

જામનગરમાં બેડ ટોલ નાકે યુવાનની હત્યા કેસમાં પાંચ આરોપીને આજીવન કેદ

જામનગર,તા.27 : જામનગરના બેડ ટોલ નાકે વર્ષ 2013માં યુવાનની હત્યા નિપજાવવાના કેસમાં પાંચ આરોપીઓને જામનગરની અદાલતે આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો છે.

જામનગર નજીક બેડ ટોલનાકે નોકરી કરતો શખસ અને આરોપીઓ બાબુ કરમશી પરમાર, મેરામણ સાજણ ખાંભલા, રાણો સાજણ ખાંભલા, ભારા લાખા ગરવા સાજણ ખાંભલા સાથે બેડ ટોલ નાકે ટોલ ભરવા બાબતે માથાકૂટ થઈ હતી. આરોપીઓએ તેનો ખાર રાખી બેડ ટોલ નાકે આવી નોકરી કરતો યુવાન તેને જોઈને નાસી ગયો હતો અને એક હોટલના રૂમમાં છૂપાઈ ગયો હતો. આરોપીઓએ તેનો પીછો કરી તલવાર, ધોકા વડે તૂટી પડયા  હતા અને યુવાનની હત્યા નિપજાવી નાસી ગયા હતાં. આ હત્યા અંગે પોલીસે પાંચેય આરોપીઓને ઝડપી લીધા હતા અને જેલ હવાલે કર્યા હતા. આ કેસ જામનગરની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી જામનગર ડિસ્ટ્રિક્ટ જજે પાંચેય આરોપીઓને તકસીરવાન ઠેરવી જુદી -જુદી કલમો હેઠળ આજીવન કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક