• ગુરુવાર, 09 મે, 2024

ઘાઘરેચિયા ગામ પાસે ડમ્પરે બાઈકને અડફેટે લેતા બે વ્યક્તિના મૃત્યુ ડમ્પરની ઠોકરે ફંગોળાયેલ બન્ને ખેતરમાં જઈને પડયા’તા

સુરેન્દ્રનગર, તા.ર6 : લીંબડી હાઇ-વે પરના ડમ્પરે બાઈકને અડફેટે લેતા બે વ્યક્તિ ફંગોળાઈને નજીકમાં આવેલા ખેતરમાં પડયા હતા અને ગંભીર ઈજા થવાથી બન્ને વ્યક્તિને મૃત્યુ નીપજ્યા હતા. આ અંગે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ બનાવ અંગેની વિગત એવી છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના અંકેવાળિયા ગામે રહેતા જયંતીભાઈ પૂજાભાઈ રાઠોડ અને કારોલ ગામના અરવિંદભાઈ ગોરાભાઈ વાઘેલા નામના બન્ને વ્યક્તિ બાઈક લઈને લીંબડી-લખતર રોડ પરના ઘાઘરેચિયા ગામ પાસેથી પસાર થતા હતા ત્યારે પૂરઝડપે ધસી આવેલા ડમ્પરે બાઈકને અડફેટે લેતા જયંતીભાઈ અને અરવિંદભાઈ ફંગોળાયા હતા અને નજીકમાં આવેલા ખેતરમાં જઈને પડયા હતા અને ગંભીર ઈજા થવાથી બન્નેના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા.

આ અંગેની જાણ થતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને બન્ને વ્યક્તિઓના મૃતદેહો પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યારે ડમપર ચાલક ફરારથઈ ગયો હતો. આ અંગેની જાણ થતા બન્ને મૃતકોના પરિવારજનો હોસ્પિટલે દોડી ગયા હતા. પોલીસે ફરાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક