છાત્ર પ્રદર્શનથી જોડાયેલા મામલાની સુનાવણી કરતાં કોર્ટે આઠ રાજ્યને
આપી નોટિસ ઃ પોલીસ કાર્યવાહીની થશે તપાસ
નવી દિલ્હી, તા. 28 ઃ દિલ્હીના જંતરમંતર પર થયેલાં વિદ્યાર્થી પ્રદર્શનથી જોડાયેલા મામલાઓની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે 18 વર્ષથી
ઓછી ઉંમરના અને જેમના કોઇ ગુનાહિત રેકર્ડ નથી તેવા પ્રદર્શનકર્તાઓને તાત્કાલિક છોડી મૂકવાનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે જ પોલીસ કાર્યવાહીથી જોડાયેલા આરોપોની સ્વતંત્ર તપાસ અને તમામ ડિજિટલ પુરાવા સુરક્ષિત રાખવાનો પણ કોર્ટે નિર્દેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે દેખાવો દરમ્યાન લાઠીચાર્જના મામલે આઠ રાજ્યને નોટિસ આપી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, પ્રદર્શન દરમ્યાન પોલીસ સામેના આરોપોની નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ થવી જોઇએ. અદાલતે વિશેષ તપાસ ટુકડી (સીટ) રચવાનો પણ સંકેત આપ્યો હતો.
સર્વોચ્ચ અદાલતે પોલીસ અને સંબંધિત એજન્સીઓને પ્રદર્શનથી જોડાયેલા સીસીટીવી ફૂટેજ, ડ્રોન રેકોર્ડિંગ અને ફેશિયલ રિકગ્નિશન સિસ્ટમથી જોડાયેલા ડેટા જેવા પુરાવા સુરક્ષિત રાખવા નિર્દેશ આપ્યો હતો. અદાલતે એમ પણ જણાવ્યું હતું કે, પ્રદર્શનકારીઓનો વ્યક્તિગત ડેટા સાર્વજનિક પ્લેટફોર્મ પર શેર થવો જોઇએ નહીં.
અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે, પૂર્વ મુખ્ય ન્યાયાધીશના નેતૃત્વમાં સીટ બનવી જોઇએ. કોર્ટ ભવિષ્યના ઉપાયની વાત કરી રહી છે તે આવકાર્ય છે.
સુપ્રીમ કોર્ટમાં એક વકીલે બિહારમાં થયેલા દેખાવોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને દાવો કર્યો હતો કે બિહારમાં સગીરોને પણ અટકાયતમાં રાખવામાં આવ્યા હતા.
સર્વોચ્ચ અદાલતે પ્રદર્શનોના મામલે આઠ રાજ્યને નોટિસ જારી કરી હતી, જેમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, બિહાર, આસામ, કેરળ અને ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે.
---------------
સુપ્રીમનાં ઓર્ડરથી ઈઉંઙને ચિંતા
Bિઍંછ ચાલુ રાખવાનાં નિર્દેશથી છાત્રો સામે કાર્યવાહીની ભીતિઃ ફરીથી પ્રદર્શનની ચેતવણી
નવી દિલ્હી, તા.28ઃ સુપ્રીમ કોર્ટ દ્વારા છાત્રોના આંદોલન સાથે જોડાયેલી અરજીઓ પર આપવામાં આવેલા વચગાળાના આદેશ અંગે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)એ કડક વલણ અપનાવ્યું છે. સીજેપીના સ્થાપક અભિજીત દીપકેએ જાહેરાત કરી છે કે જો પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવશે તો તેઓ ફરીથી વિરોધ પ્રદર્શન શરૂ કરશે.
અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, જો પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને પરેશાન કરવાનું ચાલુ રહેશે તો કોકરોચ જનતા પાર્ટી ટૂંક સમયમાં મોટાપાયે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરશે. સરકારે વિદ્યાર્થીઓને નિશાન બનાવવાનું અને તેમની સામે બદલાની કાર્યવાહી બંધ કરવી જોઈએ. સીજેપી નેતા સૌરવ દાસે પણ કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો સરકારે વિદ્યાર્થીઓ સાથે કરેલું વચન તોડ્યું તો દેશવ્યાપી આંદોલન ફરી શરૂ કરવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ રહેશે નહીં.
સૌરવ દાસે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચ દ્વારા આપવામાં આવેલા વચગાળાના આદેશમાં, ખાસ કરીને નિર્દેશ નંબર 4, સમગ્ર
દેશ માટે ચેતવણી સમાન છે. આ નિર્દેશ હેઠળ સરકારોને હાલની એફઆઈઆર સાથે આગળ વધવા અને તપાસ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્દેશ ભારત સરકાર દ્વારા 25 જુલાઈ
2026ના રોજ દેશના યુવાનોને આપવામાં આવેલા વિશ્વાસ અને ખાતરીથી સંપૂર્ણપણે વિપરીત છે. જેમાં તમામ એફઆઈઆર પાછી ખેંચવા અને કોઈપણ પ્રદર્શનકારીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નિશાન ન બનાવવાનું વચન આપવામાં આવ્યું હતું. સૌરવ દાસે યાદ અપાવ્યું કે 25 જુલાઈના
સરકારી આશ્વાસન અને સંપૂર્ણ વિશ્વાસના આધારે જ કોકરોચ જનતા પાર્ટીએ પોતાનું વિરોધ પ્રદર્શન પાછું ખેંચ્યું હતું પરંતુ હવે શંકા છે કે કેન્દ્ર સરકાર અને ભાજપ શાસિત રાજ્ય સરકારો આ કોર્ટના આદેશનો ઉપયોગ વ્યક્તિગત પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલી એફઆઈઆર ચાલુ રાખવા અને તેમને પરેશાન કરવા માટે કરી શકે છે.