• રવિવાર, 05 મે, 2024

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ: સુશીલાબેન શાંતિલાલ રાણભાણનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે, જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાન કુલ 507મું ચક્ષુદાન થયેલ છે.

રાજકોટ: પીઠવડી નિવાસી હાલ રાજકોટ જીતુભાઈ ડાયાભાઈ બગથલિયા (ઉં.69) તે રોહિતભાઈના પિતાશ્રી, તે બાબુભાઈ (પિઠવડી)ના નાનાભાઈ, તે ધનજીભાઈ પરમાર (કાળીપાટ)ના બનેવીનું તા.24ના અવસાન થયું છે. બેસણું બન્ને પક્ષનું સાથે તા.26ના 4થી 6, બાપાસીતારામની મઢુલી પાસે, પેરેડાઈઝ હોલ, રૈયા રોડ, રાજકોટ છે.

વેરાવળ: જયાબેન જયંતીભાઈ પોપટ (ઉં.90) તે જૂનાગઢ નિવાસી સ્વ.જીતેન્દ્રભાઈ, કિશોરભાઈ, કેતનભાઈ, મધુબેન, મીનાબેનના માતુશ્રી, તે સ્વ.નાનજી કાનજી લાખાણી (વેરાવળ)ના પુત્રી, તે ચંદ્રકાંતભાઈના ફઈનું તા.25ના અવસાન થયું છે. બેસણું, પીયર પક્ષની સાદડી તા.26ના સાંજે 5થી 6, જાગનાથ મંદિર, જલારામ સોસાયટી, જૂનાગઢ ખાતે છે.

ફલ્લા: મૂળ ગામ વાવડી હાલ જામનગરનાં મોહનભાઈ મનજીભાઈ વાડોલીયા (ઉ.78) તે સ્વ.ગોવિંદભાઈ, ધનજીભાઈ, સ્વ.ભીમજીભાઈના નાનાભાઈ, સ્વ.પરસોતમભાઈ, કુરજીભાઈનાં મોટાભાઈનું તા.રપનાં અવસાન થયું છે. બેસણુ તા.27ને શનીવારે સાંજે 4 થી 6 વરિયા પ્રજાપતિની જૂની વાડી, હોસ્પિટલ રોડ, જામનગર છે.

જૂનાગઢ: મૂળ માણાવદર હાલ રાજકોટ નિવાસી રાજુભાઈ ગુલાબભાઈ પંડયા (દિલીપભાઈ) (ઉ.6ર) તે ભરતભાઈ પંડયાના નાનાભાઈ તથા રોનક અને રીધમના પિતાનું તા.ર4મીએ અવસાન થયું છે.  બેસણુ તા.ર7ને શનિવારે સાંજે 4 થી 6 રામમંદિર, કામનાથ નગર, મધુરમ, જૂનાગઢ છે.

રાજકોટ: પારકરા મહેન્દ્રભાઈ છગનલાલ (ઉ.70)નું તા.ર4નાં અવસાન થયું છે.

જૂનાગઢ: મચ્છુ કઠીયા સઈ સુથાર દેવચંદભાઈ કાનજીભાઈ જૈસુર (ઉ.74) (મોરૂકા ગિર)વાળા સ્વ. ખીમજી (ધ્રાબાવડ), જીવનભાઈ (તાલાળા), સ્વ.વલ્લભભાઈ (તરશીંગડા)ના લઘુબંધુ, કપિલભાઈ, મુકેશભાઈ અને સંજયભાઈના પિતા, માધુપુર ગીરવાળા સ્વ. વલ્લભભાઈ વિરજીભાઈ કુમકીયાના જમાઈનું અવસાન થયું છે. બેસણુ, સાદડી તા.ર7નાં સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાન દયાનંદ પાર્ક, ઝાંઝરડા રોડ, જૂનાગઢ છે.

રાજકોટ: બ્રહ્મક્ષત્રિય સ્વ.મણિલાલ વલ્લભદાસ પડીયાના પત્ની જસંવતીબેન તે કૃષ્ણકાંતના ભાભી, યોગેશભાઈના ભાભુ, કૌશલ્યાબેન પ્રભોદરાય જોગીના માતૃશ્રીનું અવસાન થયું છે. સાદડી તા.ર7ના 4 થી 6 બ્રહ્મક્ષત્રિયની વાડી, જેતુપર, ફૂલવાડી છે.

ગોંડલ: બકુલભાઈ નટવરલાલ ખખ્ખર (ઉ.63) તે સ્વ.ભગવાનજીભાઈ બેચરભાઈ ગદા (વેરાવળવાળા)નાં જમાઈ, ગીરીશભાઈ, રાજેશભાઈનાં ભાઈ, કૃપાલભાઈ, કૃપાબેનનાં પિતાનું તા.રપનાં અવસાન થયું છે. બેસણુ, પિયરપક્ષની સાદડી તા.ર6નાં સાંજે પાંચ થી છ લોહાણા મહાજન વાડી વિભાગ-1, મહાદેવવાડી, ગોંડલ છે.

રાજકોટ: વડનગરા નાગર ઈશ્વરીબહેન માંકડ (નિવૃત્ત ટ્રેઝરી ઓફીસ) તે રોહીણીબેન માંકડ (બીએસએનએલ નિવૃત્ત), અશોકનાં બહેનનું અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.ર6નાં સાંજે પ.30 થી 6.30 ભગવાન ભુવન વાડી, 6/11-પંચનાથ પ્લોટ, પંચનાથ મંદિર સામે છે.

વિસાવદર: લીલાબેન મધુભાઈ ભટ્ટી (ઉ.8ર) તે જયસુખભાઈ, રાજુભાઈ (મૂંન સાઉન્ડ)ના માતુશ્રીનું તા.રપનાં અવસાન થયું છે. બેસણુ તા.ર7નાં 4 થી 6 વાંણદ સમાજ, વિસાવદર ખાતે છે.

જૂના પીપળીયા: હીરાબેન છગનલાલ નાગ્રેચા (ઉ.93) તે કિશોરભાઈનાં માતુશ્રી, મયુરભાઈ, ચિરાગભાઈ અને ભાવિકા શૈલેષભાઈ તન્ના, નિધિ સાગરભાઈ તન્નાના દાદીનું તા.ર4નાં અવસાન થયું છે. બેસણુ તા.ર6નાં સાંજે 4 થી 6 જૂના પીપળીયા મુકામે તેમના નિવાસ સ્થાને છે.

રાજકોટ: ચતુર્વેદી મચ્છુકઠિયા મોઢ બ્રાહ્મણ લાભુબેન ભીખાભાઈ દવે (ઉં.70) તે ભીખાલાલ નંદલાલ દવેનાં પત્ની, તે જીતેન્દ્ર (મુન્નો), કલ્પનાબેન, સોનલબેન અને સુમબેનનાં માતુશ્રી, તે પાર્થનાં બા તેમજ નિશાબેનનાં સાસુ, તે કમળાબેન અમૃતલાલ ત્રિવેદી (ગઢડા સ્વામીના)ની દીકરીનું તા.24નાં અવસાન થયું છે. બેસણું તા.26ના સાંજે 5થી 6, સિદ્ધેશ્વર મહાદેવ, રૈયા રોડ, ન્યારા પેટ્રોલ પંપની સામે, રાધે ડેરીની બાજુમાં, રાજકોટ છે.

બગસરા: રાજગોર બ્રાહ્મણ મણિશંકર કાનજીભાઈ ધાંધિયા (ઉં.84) તે ભીખુભાઈ, ભાવિનભાઈ તથા દક્ષાબેન ભરતકુમાર બોરીસાગર (અમદાવાદ), અનસુયાબેન વિપુલકુમાર જાની (રાજુલા), ઉર્મિલાબેન ગિરીશકુમાર ચાઉ (સડલા)ના પિતાશ્રી, તે હરિભાઈ, નવલભાઈના મોટાભાઈનું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.27ના સાંજે 4થી 6, ગાયત્રી મંદિર, બગસરા છે.

મોરબી: પનારા શાંતાબેન છગનભાઈ (ઉં.93) તે ભગવાનજીભાઈ, ગોવિંદભાઈ, મુકેશભાઈ, નટવરભાઈનાં માતુશ્રીનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.27ના સાંજે 4થી 6, 1-પંચવટી સોસાયટી, નવા બસ સ્ટેન્ડ પાછળ, મોરબી છે.

બગસરા: વાંઝા દરજી નરભેરામભાઈ લવજીભાઈ ચુડાસમા (ઉં.71) તે રમણીકભાઈ, પ્રવીણભાઈના ભાઈ, તે શૈલેષભાઈ, મહેન્દ્રભાઈ, પન્નાબેન પંકજકુમાર ગોહેલ (અમરેલી), ગોપીબેન દીપકકુમાર આમરસેડા (લાઠી)ના પિતાશ્રીનું તા.21ના અવસાન થયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક