• રવિવાર, 19 મે, 2024

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ : મનુભાઈ ઠાકરશીભાઇ ધામેલિયાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર ચક્ષુદાન કરેલું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 509મું ચક્ષુદાન થયેલું છે. એપ્રિલ-2024માં નવમું ચક્ષુદાન થયેલું છે.

પોરબંદર: સક્કરબાનુ જમાલુદીનભાઈ ખીમાણી (ઉં.84) (નિવૃત્ત આચાર્યા) તે સદરુદ્દીનભાઈના માતૃશ્રીનું તા.ર8ના અવસાન થયું છે. ઉઠમણું તા.રને ગુરુવારે 4થી 6 ખોજા જમાતખાના, એમ.જી.રોડ ખાતે છે.

સોનગઢ: લાલુભા સરતાનસિંહ ગોહિલ (ઉં.વ.80) (નિવૃત્ત તાલુકા વિકા અધિકારી) તે સ્વ.ભારતસિંહ, સ્વ.જયવંતસિહ, સ્વ.ફતેસિંહના નાનાભાઈ, સ્વ.રાજેન્દ્રસિંહ, રતનસિંહના મોટાભાઈ તેમજ સ્વ.જગદિશસિંહ, મહાવીરસિંહ, ધર્મેન્દ્રસિંહના કાકા તથા મયુરસિંહ, રાજેન્દ્રસિંહ, દીપકસિંહ, રાજેન્દ્રસિંહના મોટાબાપુ તેમજ મનદીપસિંહ, અક્ષયરાજસિંહ, દિલીપસિંહ, અનિરૂદ્ધસિંહ, યશપાલસિંહ, પ્રતિપાલસિંહ, નક્ષદીપસિંહ, જયદિવ્યસિંહ, વિશ્વરાજસિંહ, લક્ષ્યરાજસિંહનાં દાદાબાપુનું તા.ર8ના અવસાન થયું છે.

ડોળાસા: પખાયબેન મોરી (ઉં.84) તે પુંજાભાઈ વીરાભાઈ મોરીના પત્ની તેમજ કરશનભાઈ અને દિલીપભાઈના માતુશ્રી, અનિરૂદ્ધસિંહ કે. મોરી (અંકલેશ્વર) અને ચેતનસિંહ ડી. મોરી (અંકલેશ્વર)ના દાદી, બાલુભાઈ અને લખમણભાઈના ભાભી, દાનાભાઈ, ગોવિંદભાઈ અને જીણાભાઈના કાકી તેમજ હરિભાઈ, રામસિંહભાઈ અને વજુભાઈના મોટાબાનું તા.ર9ને સોમવારે અવસાન થયું છે. બેસણું તા.રને ગુરુવારે કોમ્યુનિટી હોલ, ગોંદરા ચોક, ડોળાસા ખાતે છે.

જામનગર: પીયૂષભાઈ (બી.સી.શાહ એન્ડ બ્રધર્સવાળા) (ઉં.47) તે સ્વ.ચંપકલાલ બાબુલાલ શાહ તથા સ્વ.પ્રવણાબેન ચંપકલાલ શાહના પુત્ર તે પૂનમબેનના પતિ, અદિતી ધ્રુવીલ અને કવનના પિતા, વિક્રમ અને અમી (લતા) કૌશિકભાઈ ઝવેરીના નાનાભાઈ તથા ચંદ્રકાન્તભાઈ (સી.બી.શાહ)ના ભત્રીજાનું તા.ર8ના અમદાવાદ ખાતે અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ છે.

જામનગર: શ્રી ગૌડ મેડતવાડ બ્રાહ્મણ સ્વ.પ્રજ્ઞાબેન ભટ્ટ (ઉં.6પ) તે મુકેશભાઈ હરિભાઈ ભટ્ટ (શાત્રીજી)ના પત્ની, જીજ્ઞેશ અને ગૌરવના માતા, દક્ષાબેન, ભૂપેન્દ્રભાઈ, સ્વ.ડોલરભાઈ (રાજકોટ) તથા મંદાબેન (જૂનાગઢ)ના ભાભી, સ્વ.ગણપતરાય દુર્લભજી ત્રિવેદીના પુત્રીનું તા.ર8ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.રના સાંજે પથી પ.30 પાબારી હોલ, તળાવની પાળ, જામનગર ખાતે છે.

રાજકોટ: ધવલ (ઉં.વ.38) તે સ્વ.રજનીકાંત નવલચંદ મહેતાના પુત્ર, બિજલના પતિ તથા વિરલના મોટાભાઈ તથા ગોંડલ નિવાસી ભરતભાઈના જમાઈનું તા.ર9ના અવસાન થયું છે. ઉઠમણુ તા.રને ગુરુવારે સવારના 10.30 કલાકે પ્રહલાદ પ્લોટ ઉપાશ્રયે તથા પ્રાર્થના સભા સવારના 11 કલાકે વિશા શ્રીમાળી વાડી, 11 કરણપરા, રાજકોટ ખાતે છે.

બોટાદ: ઘનશ્યામભાઈ ગૌરીશંકર રાવલ (ઉં.વ.83) તે હિતેશભાઈ આદર્શ બી.એડ.કોલેજના પિતાશ્રી, ધાર્મિક, નૈષધ, દર્શ, વૈભવીના દાદા, અર્ચનાબેન તથા અવનીબેનના પિતાશ્રી, હર્ષદકુમાર એ. ત્રિવેદી (ગઢડિયા) તથા પુનિતકુમાર એસ. વ્યાસ (બરવાળા)ના સસરા, સ્વ. ગણપતરાય, પ્રતાપભાઈ, અનંતરાય જી. રાવલ તથા સ્વ. કંચનબેન જી. ત્રિવેદીના ભાઈનું તથા વિપુલભાઈ અને સંજયભાઈના દાદા તથા ઉપેન્દ્રભાઈ રતિલાલભાઈ દવે, હર્ષદભાઈ આર. દવે (રણિયાણા)ના બનેવીનું તા.ર9ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણુ તા.રને ગુરુવારે ખાંભડા મુકામે સવારે 8થી સાંજના પ સુધી છે.

ઇ-પેપરના નવા શુલ્ક