• રવિવાર, 05 મે, 2024

avsan nondh

ચક્ષુદાન તથા સ્કીન ડોનેશન

રાજકોટ : પુષ્પાબેન અનંતરાય દેસાઈનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનક્લ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન, સ્કીન ડોનેશન કરેલ છે.

જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 504મું ચક્ષુદાન, 15મું સ્કીન ડોનેશન થયેલ છે. આ ચક્ષુદાન, સ્કીન ડોનેશન જે.વી. શાહ સાહેબના સહયોગથી થયેલ છે.

ભાટિયા: મધુબેન (મીરાબેન) (ઉ.78) તે સ્વ.છોટાલાલ કાલીદાસ પાબારીના પત્ની, યમુના એન્ટરપ્રાઈઝવાળા પ્રકાશભાઈ, કિરીટભાઈ, સોનલબેન અતુલકુમાર ધોકાઈ (મીઠાપુર)ના માતુશ્રી, ડૉ.ભાવિન, રાજદીપ નિકુંજ, ધારા સાગરકુમાર ચોટાઈના દાદી અને દ્વારકા નિવાસી સ્વ.િવસંજી ચત્રભુજ ગોકાણીના પુત્રીનું તા.ર0નાં અવસાન થયું છે. ઉઠમણુ તથા પિયર પ           ક્ષની સાદડી તા.રરનાં સાંજે 4 થી 4.30 ભાઈઓ માટે શ્રી દૂધેશ્વર મહાદેવ મંદીર તથા બહેનો માટે તેમના નિવાસ સ્થાને છે.

જામનગર: હિરજીભાઈ નરશીભાઈ રાંક (સોજીત્રા) તે જમનભાઈ, અરવિંદભાઈ, દિનેશભાઈ સોજીત્રા (જી.જી.હોસ્પિટલ)ના પિતાનું તા.ર0ના અવસાન થયું છે. બેસણુ તા.રરના સાંજે પ થી 6 દરમિયાન લેઉવા પટેલ સમાજ, રણજીતનગર, જામનગર છે.

રાજુલા: મર્હુમા ઝુબેદાબેન ડોસાજી ઘી વાળા (ઉ.88) તે મ.આબીદઅલી તૈયબઅલી કપાસીના પત્ની, તુરાબભાઈ, કુતુબભાઈ, રેહાનાબેન (ઉના) મુનીરાબેન (જામનગર) નફીસાબેન (ધ્રાંગધ્રા)ના માતૃશ્રી, મુરતુઝાભાઈ (મુંબઈ), અમ્મારભાઈ (રાજુલા), ખદીજા (કેનેડા), અલફીયા, હુસેનના દાદીનું તા.ર0નાં વફાત થયેલ છે. જીયારતના સીપારા તા.રરના બપોરના 11.30 કલાકે નજમી બાગ (કુંભનાથ રોડ) રાજુલા ખાતે ભાઈઓ/બહેનો સાથે રાખેલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક