‘કયૂડેન્ગા’ નામે ઓળખાતી ‘ટાક-300’ રસીને સરકારની મંજૂરી; ડેન્ગ્યૂ થઈ ચૂક્યો હોય તો પણ અક્સીર
નવી
દિલ્હી, તા. 19: ભારતમાં દર વર્ષે, ખાસ તો ચોમાસામાં વધતાં ડેન્ગ્યૂના ખતરા વચ્ચે રાહતના
સમાચાર મળ્યા છે. દેશને ડેન્ગ્યૂની પહેલી રસી મળી ગઈ છે.
આ પગલું
માત્ર સારવાર નહીં, પરંતુ આ ખતરનાક બીમારી થતી રોકવાની દિશામાં એક મોટો બદલાવ મનાઈ
રહ્યું છે. ભારત સરકારે પણ ડેન્ગ્યૂને નાથવા માટેની આ રસીને મંજૂરી આપી દીધી છે.
‘ક્યૂડેન્ગા’નાં
નામે ઓળખાતી ‘ટાક-300’ રસીને ભારત સરકારે લીલી ઝંડી આપી દીધી છે તેવું અધિકારીઓએ જણાવ્યું
હતું.
ડ્રગ
કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની તજજ્ઞ સમિતિએ 4થી 60 વર્ષના લોકો માટે ઉપયોગ કરવાની અનુમતિ
આપી હતી.
આ રસી
જાપાનની ટાકેડા ફાર્માસ્યુટિકલ્સ કંપની લિમિટેડ દ્વારા વિકસિત કરાઈ છે. આ રસીની સૌથી
ખાસ વિશેષતા એ છે કે, દર્દીને ડેન્ગ્યૂ થયો છે કે નહીં, તેનાથી કોઈ ફરક નથી પડતો.
અગાઉની
રસીઓની એક મર્યાદા હતી. ક્યૂડેન્ગા ચારેય પ્રકારના ડેન્ગ્યૂ વાયરસ સેરોટાઈપ સામે સુરક્ષા
કવચ પૂરું પાડશે.
આ રસી
બે ડોઝમાં લેવાની છે. બન્ને ડોઝ વચ્ચે ત્રણ મહિનાનું અંતર રાખવાનું છે. ક્લિનિકલ પરીક્ષાઓ
પરથી રસી ચાર વર્ષ સુધી સુરક્ષા આપે છે, તેવું જાણવા મળ્યું છે.