• સોમવાર, 20 એપ્રિલ, 2026

ભારતને મળી ડેન્ગ્યૂની પહેલી રસી

‘કયૂડેન્ગા’ નામે ઓળખાતી ‘ટાક-300’ રસીને સરકારની મંજૂરી; ડેન્ગ્યૂ થઈ ચૂક્યો હોય તો પણ અક્સીર

નવી દિલ્હી, તા. 19: ભારતમાં દર વર્ષે, ખાસ તો ચોમાસામાં વધતાં ડેન્ગ્યૂના ખતરા વચ્ચે રાહતના સમાચાર મળ્યા છે. દેશને ડેન્ગ્યૂની પહેલી રસી મળી ગઈ છે.

આ પગલું માત્ર સારવાર નહીં, પરંતુ આ ખતરનાક બીમારી થતી રોકવાની દિશામાં એક મોટો બદલાવ મનાઈ રહ્યું છે. ભારત સરકારે પણ ડેન્ગ્યૂને નાથવા માટેની આ રસીને મંજૂરી આપી દીધી છે.

‘ક્યૂડેન્ગા’નાં નામે ઓળખાતી ‘ટાક-300’ રસીને ભારત સરકારે લીલી ઝંડી આપી દીધી છે તેવું અધિકારીઓએ જણાવ્યું હતું.

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની તજજ્ઞ સમિતિએ 4થી 60 વર્ષના લોકો માટે ઉપયોગ કરવાની અનુમતિ આપી હતી.

આ રસી જાપાનની ટાકેડા ફાર્માસ્યુટિકલ્સ કંપની લિમિટેડ દ્વારા વિકસિત કરાઈ છે. આ રસીની સૌથી ખાસ વિશેષતા એ છે કે, દર્દીને ડેન્ગ્યૂ થયો છે કે નહીં, તેનાથી કોઈ ફરક નથી પડતો.

અગાઉની રસીઓની એક મર્યાદા હતી. ક્યૂડેન્ગા ચારેય પ્રકારના ડેન્ગ્યૂ વાયરસ સેરોટાઈપ સામે સુરક્ષા કવચ પૂરું પાડશે.

આ રસી બે ડોઝમાં લેવાની છે. બન્ને ડોઝ વચ્ચે ત્રણ મહિનાનું અંતર રાખવાનું છે. ક્લિનિકલ પરીક્ષાઓ પરથી રસી ચાર વર્ષ સુધી સુરક્ષા આપે છે, તેવું જાણવા મળ્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક